ભાજપના સાંસદનો બફાટઃ રામ રહીમ મુદ્દે કહ્યું- એક આરોપ સાચો કે કરોડો ભક્ત?
સાક્ષી મહારાજ અનુસાર રામ રહીમ પર યૌન શોષણનો આરોપ ભારતીય સંસ્કૃતિની છબી ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. સાક્ષી મહારાજે કર્નલ પુરોહિત, સાઘ્વી પ્રગ્ના ઠાકુરનું પ્રમાણ આપતા કહ્યું કે, યોજનાબદ્ધ રીતે સાંધુ-સંન્યાસી જ નહિ પણ ભારતીય સંસ્કૃતિને બદનામ કરવાનો ષડયંત્ર થઈ રહ્યું છે. ભાજપ સાંસદે કહ્યું કે, એક વ્યક્તિ રામ રહીમ વિરુદ્ધ યૌન શોષણની ફરિયાદ કરે છે પરંતુ રામ રહિમ માટે કરોડો લોકો પાતાના પ્રાણ આપવા તૈયાર છે. કોર્ટને આ મામલે ગંભીરતા લેવાની સલાહ આપતા સાક્ષી મહારાજે કહ્યું કે, જો મોટી દુર્ઘટના બને તો માત્ર ડેરા સચ્ચાના ભક્તો જ નહીં પણ તેના માટે ન્યાયાલય પણ જવાબદાર રહેશે.
નવી દિલ્લી: રામ રહીમને બળાત્કાર કેસમાં કોર્ટે દોષી જાહેર કરતા ભાજપના સાંસદ સાક્ષી મહરાજે ગુરમીત રામ રહીમનો બચાવ કરતા કહ્યું કે, સાંધુ-સંન્યાસીઓ વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. રામ રહીમને સજા આપવામાં આવી તે કોર્ટના નિર્ણયને સાક્ષી મહારાજે સન્માન કર્યું છે. પરંતુ તેની સાથે કહ્યું કે, કોર્ટ માત્ર ફરિયાદ કરનારની જ વાત સાંભળે છે, પેલા લાખો ભક્તોની નથી સાભળતી, જે રામ રહિમને ભગવાન માને છે. જો કે, સાક્ષી મહારાજના આ નિવેદથી ભાજપ હાઇ કમાન્ડ નારાજ છે અને તેના પર આ મામલે સ્પષ્ટતાની માંગ કરી શકે છે.
સાક્ષી મહારાજે કહ્યું કે, હું ન્યાયપાલિકાનું સન્માન કરુ છું, પણ એક વાત જરૂર કહીશ કે, એક વ્યકિતના યૌન શોષણની ફરિયાદ કરી છે અને કરોડો લોકો બાબા રામ રહીમને સાચા માની રહ્યાં છે. ભગવાન માની રહ્યા છે. એવામાં એક જ વાત સાંભળવી જોઈએ. પરંતુ કરોડો લોકની કોર્ટ કેમ નથી સાભળતી.
સાક્ષી મહારજે સવાલ કરતા કહ્યું કે, જામા મસ્જિદના ઈમામને કોર્ટમાં કેમ નથી બોલવતા, જેના વિરુદ્ધ અનેક કેસ છે. ત્યાં કોગ્રેસ પર પ્રહાર કરતા બોલ્યા કે, મોદીએ ભ્રષ્ટાચાર મુક્ત અને કૉગ્રેસ મુક્ત ભારત બનાવી દીધું છે. પંજાબ પણ કૉગ્રેસમુક્ત બની જશે.