જાણો કઈ હોટ હીરોઈનના 8 માળના ઘરમાં મુંબઈ કોર્પોરેશને કરી તોડફોડ ? જાણો વિગત
શત્રુઘ્નસિંહાએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા ટ્વિટ કર્યું કે મુંબઈમાં મારા ઘર ‘રામાયણ’નો કેટલોક ભાગ તોડવાની ખબરો છે. લોકો મને પૂછી રહ્યા છે કે શું હું તથ્યો, આંકડા અને સચ્ચાઈના આધાર પર ઈમાનદારીથી રાજનીતિ કરવાની કીમત ચૂકવી રહ્યો છું..યશવંત સિન્હા સતરાના ખેડૂતોનું સમર્થન આપી રહ્યા છે, તેને સમર્થન આપવાની કીંમત ચૂકવી રહ્યો છું. મારી પાસે કોઈ જવાબ નથી.
મુંબઇઃ મહાનગર પાલિકા (બીએમસી)એ આ વખતે બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહાના ઘરના ગેરકાયદે આવતા ભાગને તોડી પાડ્યો છે. સોમવારે બીએમસીએ જુહુ સ્થિત આઠ માળના બંગલાનો કેટલોક ગેરકાયદેસર ભાગ તોડી પાડ્યો, જોકે, આ કાર્યવાહી થઇ રહી હતી તે દરમિયાન સોનાક્ષી સિંહાના પિતા અને ભાજપ સાંસદ શત્રુઘ્નસિંહા પણ ઘરે જ હતા.
શત્રુઘ્નસિંહાના ઘર પરની કાર્યવાહી બાદ પાલિકા અધિકાઓએ જણાવ્યું કે, ઘરમાં છત પર એક ટૉઇલેટ, એક ઓફિસ અને એક પૂજા ઘરનું ગેરકાયદેસર નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં પૂજા સ્થળના ભાગને છોડીને બાકીના ગેરકાયદેસર ભાગોને તોડી પાડવામાં આવ્યા છે. જોકે, અધિકારીઓએ પૂજા ઘરમાં મુકવામાં આવેલા સામાનને અન્ય સ્થળ પર ખસેડવા માટે પણ કહ્યું હતું.
બીએમસીની કાર્યવાહી દરમિયાન શત્રુઘ્નસિંહાએ અધિકારીઓને સહયોગ પણ આપ્યો હતો. તેમને કહ્યું તેમના ઘરમાં થોડો ભાગ ગેરકાયદેસર હતો જેને બીએમસી દ્વારા તોડી પડાયો છે.
ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરવા મામલે ટુંકસમમાં શત્રુઘ્નસિંહા સામે ફરિયાદ કરવામાં આવશે, અગાઉ શત્રુઘ્નસિંહાને બીએમસી તરફથી 6ઠ્ઠી ડિસેમ્બરે નોટીસ પણ આપવામાં આવી હતી. નોંધનીય છે કે, આના એક દિવસ પહેલા જ શત્રુઘ્નસિંહાએ પોતાન પાર્ટીના સહયોગી અને પૂર્વ નાણામંત્રી યશવંત સિંહાના ભાજપ નેતૃત્વ વાળી રાજ્ય સરકાર સામેના પ્રદર્શનને સમર્થન કર્યું હતું, જેમાં યશવંત સિંહા એકલા જ ખેડૂતો માટે રેલી કરી રહ્યાં હતા.