બિસ્લેરી, એક્વાફિના સહિત 93% બૉટલવાળું પાણી ખતરનાક, નળના પાણીથી બેગણા હોય છે પ્લાસ્ટિકના કણોઃ રિસર્ચ
નોંધનીય છે કે, ભારતમાં 10 કરોડ લોકો આર્સેનિક, ફ્લૉરાઇડ અને યૂરેનિયમ જેવા તત્વોથી યૂક્ત દુષિત પાણી પીવા માટે મજબૂર છે, આ સ્વાસ્થ્ય માટે ખુબજ ખતરનાક છે. આ ખુલાસો 100 થી વધુ વિશેષજ્ઞોએ ગુરુવારે નવી દિલ્હીની એક કૉન્ફરન્સમાં કર્યો છે.
વિશ્વ ગ્રાહક અધિકાર દિવસે આવેલા આ રિપોર્ટ અનુસાર, રિસચર્સને ટેસ્ટ દરમિયાન એક લીટરની પાણીની બૉટલમાં 10.4 માઇક્રોપ્લાસ્ટિક પાર્ટિકલ્સ મળ્યા, જે નળના પાણીમાં મળતા કણોથી પણ બેગણા વધારે હતા.
રિસર્ચર્સનું માનવું છે કે, પાણીમાં પ્લાસ્ટિકના કણો બૉટલ ભરતી વખતે આવે છે. પ્લાસ્ટિકના કણોમાં પૉલીપ્રૉપાઇલીન, નાયલૉન અને પૉલીઇથાઇલીન ટેરેપથાલેટ સામેલ છે. આ બધાનો ઉપયોગ બૉટલનું ઢાંકણ બનાવવામાં થાય છે.
રિપોર્ટમાં એ પણ કહેવામા આવ્યું છે કે બિસ્લેરી, એપ્યૂરા, જેરોલસ્ટીનર, મિનાલ્બા અને વાહાહા જેવી બ્રાન્ડ્સમાં પણ પ્લાસ્ટિકના કણો મળી આવ્યા છે.
ભારતની બિસ્લેરી અને એક્વાફિના ઉપરાંત એક્વા, દસાની, એવિયન, નેસ્લે પ્યૉર લાઇફ અને સાન પેલેગ્રિનો જેવી બ્રાન્ડ્સના નમૂનામાં પ્લાસ્ટિકના કણો મળ્યા હતા.
ભારત સહિત 9 દેશોમાંથી આ માટે નમૂના લેવામાં આવ્યા, આ ટેસ્ટ માટે ભારત સહિત અમેરિકા, ચીન, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, કેન્યા, લેબનાન, મેક્સિકો અને થાઇલેન્ડ સામેલ છે. આમાં લગભગ 93 ટકા નમૂનામાં પ્લાસ્ટિકના અવશેષો મળ્યા.
નવી દિલ્હીઃ એક રિસર્ચ અનુસાર જાણવા મળ્યું છે કે બિસ્લેરી, અક્વાફિના સહિતની 93 ટકા બૉટલપેક પાણી સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઇ શકે છે. દુનિયાભરમાં 90 ટકા બૉટલપેક પાણીમાં પ્લાસ્ટિકના બારીક કણ રહેલા હોય છે. આમાં દુનિયાના 9 દેશોના 11 મોટી બ્રાન્ડ્સ સામેલ છે, જેમાં ભારતની બિસ્લેરી, એક્વાફિના અને ઇવિયન જેવી કંપનીઓ પણ છે.
ન્યૂયોર્કની સ્ટેટ યૂનિવર્સિટીના રિસર્ચર્સે આ બ્રાન્ડ્સના 27 લૉટમાંથી 259 બૉટલનો ટેસ્ટ કર્યો, આ માટે દિલ્હી, ચેન્નાઇ, મુંબઇ સહિતના દુનિયાના 19 શહેરોમાંથી નમૂના લેવામાં આવ્યા હતા. આમાં પ્લાસ્ટિકના અવશેષો મળી આવ્યા હતા.