PNB કૌભાંડઃ 3 અધિકારીની ધરપકડ, ABP ન્યૂઝ પહોંચ્યું બેલ્જિયમમાં નીરવ મોદીના ઘરે
પંજાબ નેશનલ બેંકમાં થયેલા 11,500 કરોડ રૂપિયાના મહાકૌભાંડના મુખ્ય આરોપી હીરા વેપારી નીરવ મોદી દેશ છોડીને ફરાર થઈ ચૂક્યો છે. તે ક્યાં છે તેની કોઇને જાણકારી નથી. તેને શોધવા એબીપી ન્યૂઝ યુરોપીયન દેશ બેલ્જિયમના એન્ટવર્પ શહેર પહોંચ્યું હતું. આ શહેરમાં જ નીરવ મોદીએ બ્રાંડ નીરવ મોદી બનાવી હતી. એન્ટવર્પ શહેર હીરાની રાજધાની કહેવાય છે
હીરાની રાજધાની ગણાતા બેલ્જિયમ શહેરના એન્ટવર્પમાં ભારતીય મૂળના હીરા વેપારી જયેશ મહેતા કહ્યું, નીરવ મોદીના આ કૌભાંડની તેમના વેપાર કોઇ અસર નહીં પડે, હીરા વેપારી જુમિત મહતાએ કહ્યું કે નીરવ મોદીના બેંકિંગ કૌભાંડ બાદ બેલ્જિયમમાં બેંકો વધુ કડક બની જશે અને આગામી દિવસોમાં તેની અસર જોવા મળશે.
એબીપી ન્યૂઝ નીરવ મોદીની ઓફિસ પણ પહોંચ્યું પરંતુ ત્યાં નીરવ મોદી ન મળ્યો. સંવાદદાતા પૂનમ જોશીએ એન્ટવર્પ શહેરના ડાયમંડ કારોબારીઓ સાથએ વાત કરી મહાકૌભાંડની શું અસર તેમના બિઝનેસ પર પડશે તે અંગે જાણ્યું.
સંવાદદાતા પૂનમ જોશી એન્ટવર્પ શહેરમાં નીરવ મોદીની ઓફિસ પહોંચ્યું પરંતુ ત્યાં નીરવ મોદી ન મળ્યાં. ઓફિસરના કર્મચારીઓએ આ અંગે વાત કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
મુંબઈ/બેલ્જિયમઃ નીરવ મોદી કેસમાં CBI દ્વારા આજે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. સીબીઆઈ આ સંદર્ભે ત્રણ લોકોની ધરપકડ કરી છે. પંજાબ નેશનલ બેંકના તત્કાલીન ડેપ્યુટી મેનેજર ગોકુલનાથ શેટ્ટી, પીએનબીના સિંગલ વિન્ડો ઓપરેટર મનોજ ખરાત અને નીરવ મોદી ગ્રુપ ઓફ ફર્મ્સના ઓથોરાઇઝ્ટ સિગ્નેટરી હેમંત ભટની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય લોકોને આજે મુંબઈની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.