✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કોલકાતામાં CBIvsPOLICE: મોદી વિરૂદ્ધ મમતાના ઘરણા, બોલ્યા- દેશમાં કટોકટી કરતા પણ ખરાબ સ્થિતિ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Feb 2019 09:25 PM (IST)
1

કોલકાતા: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં સીબીઆઈ અને પોલીસ સામ-સામે આવી ગયા હતા. આજે શારદા ચિટફંડ કેસમાં પોલીસ કમિશનર રાજીવ કુમારની પુછપરછ કરવા પહોંચેલી સીબીઆઈની ટીમની પોલીસે ધરપકડ કર્યા બાદ છોડી મુક્યા હતા. આ મામલે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઘરણા પર બેસી ગયા છે. મમતાએ પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર બદલાની ભાવનાનો આરોપ લગાવ્યો છે.

2

આ મામલે સીએમ મમતા બેનર્જીએ પત્રકાર પરિષદ કરી મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, મોદીના બંગાળ પ્રવાસ બાદ જ સીબીઆઈ હરકતમાં આવી ગયું છે. દેશમાં હાલ કટોકટી કરતા પણ વધારે ખરાબ માહોલ છે.

3

મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે સીબીઆઈ પીએમ મોદીના ઈશારા પર કામ કરી રહ્યું છે. તેઓ એમ જ કરે છે જે મોદી કહે છે. મે ખૂબ જ અપમાન સહન કર્યું છે. સીબીઆઈ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના ઈશારે કામ કરી રહી છે. મમતાએ કહ્યું કે, કોલકાતા પોલીસ કમિશનર દુનિયાના સૌથી સારા લોકોમાંના એક છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • કોલકાતામાં CBIvsPOLICE: મોદી વિરૂદ્ધ મમતાના ઘરણા, બોલ્યા- દેશમાં કટોકટી કરતા પણ ખરાબ સ્થિતિ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.