હવે ખાંડના ભાવમાં પણ કિલોએ રૂપિયા 20નો જંગી વધારો થશે, જાણો શું છે કારણ?

હાલમાં 40 કરોડ બીપીએલ ધારકોને આ સ્કીમ હેઠળ લાભ મળે છે. આ સ્કીમ હેઠલ હાલમાં કુલ 2.7 મિલિયન ટન ખાંડ વેચવામાં આવે છે.
વર્તમાન યોજના અનુસાર રાજય સરકારો જાહેર વિતરણ હેઠળ ખાંડ ખુલ્લા બજારમાંથી જથ્થાબંધ દરે ખરીદે છે અને પ્રતિ કિલો ૧૩.પ૦ દરથી વેચે છે. કેન્દ્ર સરકાર રાજયોને ૧૮.પ૦ રૂ. પ્રતિ કિલોના ભાવથી સબસીડી આપે છે.
બજેટમાં સરકારે રાશનની દુકાનોએથી વેચાતી ખાંડ પર સબસીડી યોજના હેઠળ પડતર દાવાઓના ચુકવણા માટે ર૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. જયારે ચાલુ નાણાકીય વર્ષ માટે બજેટ ફાળવણી ૪પ૦૦ કરોડની હતી.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે બજેટમાં ખાંડ પર આપવામાં આવતી સબસિડી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આવતા નાણાકીય વર્ષથી કેન્દ્ર સરકાર રાશનની દુકાનેથી વેચાતી ખાંડ માટે રાજયોને ૧૮.પ૦ રૂ. પ્રતિ કિલોના હિસાબથી અપાતી સબસીડી બંધ કરશે.
આનાથી ખાંડ મોંઘી થવાની સંભાવના છે. સરકારે અગાઉના દાવાઓના નિપટારા માટે બજેટમાં ફકત ર૦૦ કરોડની ફાળવણી કરી છે. આ નિર્ણયને કારણે સરકારને 4500 કરોડ રૂપિયાની બચત થશે.