આધાર કાર્ડ બનાવવા માટે આ એજન્સીઓ છે ગેર કાયદેસર, સરકારે જારી કરી ચેતવણી
નવી દિલ્હીઃ જો તમે પણ આધાર કાર્ડ બનાવવા જઈ રહ્યા છો અથવા તમારી પાસે પહેલથી જ છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આધાર કાર્ડ બનાવતી અનેક એજન્સીઓ ગેરકાયેદસર રીતે કામ કરી રહી છે. માટે સરકારે ચેતવણી જારી કરીને કહ્યું કે, આધાર પ્લાસ્ટિક કાર્ડને લઈને જો તમે 50થી 200 રૂપિયા આપીને પ્લાસ્ટિક કાર્ડ બનાવી રહ્યા છો તો સાવધાન થઈ જાવ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયૂનીક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) અનુસાર કાગળ પર છપાયેલ આધાર સંપૂર્ણ રીતે માન્ય છે. સરકારે આધાર કાર્ડ બનાવતી એજન્સીઓને લઈને ચેતવણી જારી કરીને કહ્યું છે કે, આવી જગ્યા પરથી લોકો આધાર ન બનાવડાવે. સાથે જ ગેરકાયદેસર રીતે એજન્સીઓ પાસેથી લોકોનો વ્યક્તિગત ડેટાનો દુરુપયોગ થવાનો પણ ડર છે.
યૂનીક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સીઈઓ અજય ભૂષણ પાંડે અનુસાર અનેક ગેરકાયેસર એજન્સીઓ દેશમાં કામ કરી રહી છે. જે આધારને લેમિનેશનથી લઈને તેના પ્રિન્ટિંગ માટે 50-200 રૂપિયા સુધીનો ચાર્જ લઈ રહી છે. જે સંપૂર્ણ રીતે ગેરકાયદેસર છે. આ મામલે યૂઆઈડીએઆઈએ આવી એજન્સીઓને એલર્ટ પણ જારી કર્યું છે.
અજય ભૂષણ અનુસાર સરકાર લોકોને એલર્ટ કરી રહી છે કે તે એવી જગ્યા પર આધાર પ્રિન્ટિંગ, લેમિનેશન અથવા પ્લાસ્ટિક કાર્ડ ન બનાવે. જો એવી જગ્યા પર તમે આધાર માટે તમારો પર્સનલ ડેટા શેર કરો છો તેનો દુરુપયોગ થઈ શકે છે. ઉપરાંત આધાર નંબર પણ કોઇની સાતે શેર ન કરો, જેથી કરીને કોઈપણ પ્રકારના નુકસાનથી બચી શકાય.
સરકાર એવી એજન્સીઓ વિરૂદ્ધ ક્રિમિનલ કેસ પણ ચલાવશે. જે અંતર્ગત ઇન્ડિયન પીનલ કોડ અને આધાર એક્ટ 2016ની જોગવાઈઓ અનુસાર સજા પણ કરવામાં આવશે. આધાર યૂઝરને કોઈપણ કામ માટે લેમિનેશન અને પ્લાસ્ટિક આધાર કાર્ડની જરૂર નથી પડતી.
તે પોતાના આધારને ખુદ જ https://eaadhaar.uidai.gov.inની વેબસાઇટ પરથી ડાઉનલોડ અને પ્રિન્ટ કરી શે છે. તેના માટે કોઈપણ એજન્સીની જરૂર નહીં રહે. કારણ કે એક સામાન્ય કાગળ પણ માન્ય છે. એવામાં ગેરકાયદેસર એજન્સીઓની પાસે જવાની જરૂર નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -