✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આજે બપોર પછી વિશ્વભરમાં હિન્દુઓનાં મંદિરોના દરવાજા થઈ જશે બંધ, જાણો શું છે કારણ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Jul 2018 10:53 AM (IST)
1

અમદાવાદઃ આજે શુક્રવાર ને 27મી જુલાઇ અષાઢ સુદ પૂનમને ગુરૂપૂર્ણિમા છે. આજે રાત્રે ચંદ્રગ્રહણ થવાનું છે અને આ ચંદ્રગ્રહણ ગુરૂપૂર્ણિમાને ગ્રહણ નડશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું હોવાથી તેને લગતી ધાર્મિક માન્યતાઓનું ચુસ્ત રીતે હિન્દુ ધર્મ સાથે સંકળાયેલાં લોકો દ્વારા પાલન કરાશે.

2

ચંદ્રગ્રહણ પછી તમામ હિન્દુ મંદિરોને ધોઈને પવિત્ર કરવામાં આવશે અને ધાર્મિક વિધી કરવામાં આવશે કે જેથી ગ્રહણની ખરાબ અસરોને નિવારી શકાય. આ માટે શનિવારે દેશભરનાં મંદિરોમાં વહેલી સવારે ખાસ પૂજા કરાશે અને ધાર્મિક વિધી પણ કરાશે.

3

ચંદ્રગ્રહણ રાત્રે 11.30 કલાકે શરૂ થવાનું છે તેથી તેના 9 કલાક પહેલાં એટલે કે શુક્રવારે બપોરે 2.30 કલાકે વિશ્વભરમાં હિન્દુ મંદિરો બંધ થશે. આ ગ્રહણ પૂરું થયા બાદ એટલે કે શનિવારે સવારે 4 વાગ્યા પછી મંદિરના દરવાજા ખૂલશે. ગ્રહણની માઠી સારી અસરો ગ્રહણકાળના 1 મહિના સુધી દેખાય છે તેવી માન્યતા છે.

4

આ ચંદ્રગ્રહણની સૌથી મોટી અસર એ પડશે કે, આજ બપોર પછી વિશ્વભરમાં હિન્દુ મંદિરો બંધ કરી દેવાશે. હિન્દુ ધર્મના મંદિરો ગ્રહણના સ્પર્શથી અપવિત્ર ના થાય એટલા માટે ચંદ્રગ્રહણના 9 કલાક પહેલાં હિન્દુ મંદિરોના દરવાજા બંધ કરી દેવાશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • આજે બપોર પછી વિશ્વભરમાં હિન્દુઓનાં મંદિરોના દરવાજા થઈ જશે બંધ, જાણો શું છે કારણ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.