મોદી કેબિનેટમાં મોટો ફેરબદલ, પીયૂષ ગોયલ સંભાળશે નાણાં મંત્રાલય, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 May 2018 09:29 PM (IST)
1
આ ઉપરાંત એસ એસ અહલુવાલિયાને આઈટી મંત્રાલયમાં રાજ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે.
2
પીયૂષ ગોયલ મોદી સરકારમાં સૌથી પહેલા ઊર્જા મંત્રી હતા. જે બાદ તેમને રેલવે મંત્રાલય સોંપવામાં આવ્યું અને હવે તેમને નાણાં મંત્રાલયનો હવાલો આપવામાં આવ્યો છે.
3
નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભાના ચૂંટણી પરિણામો પહેલા મોદી કેબિનેટમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. મોદી સરકારમાં મહત્વનું ખાતું નાણાં મંત્રાલય સંભાળી રહેલા અરૂણ જેટલીએ હાલમાં જ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી છે. જ્યાં સુધી તેઓ સંપૂર્ણ સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી નાણાં મંત્રાલયની જવાબદારી પીયૂષ ગોયલને સોંપવામાં આવી છે.
4
સ્મૃતિ ઇરાની પાસેથી સૂચના પ્રસારણ મંત્રાલય છીનવીને રાજ્ય વર્ધન રાઠોડને સોંપવામાં આવ્યું છે. સ્મૃતિ પાસે રહેલું કાપડ મંત્રાલય ચાલુ રહેશે.