✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

છત્તીસગઢના દંતેવાડામાં IED બ્લાસ્ટમાં પાંચ પોલીસકર્મી શહીદ, 2 ઘાયલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 May 2018 02:12 PM (IST)
1

દંતેવાડા: નક્સલ પ્રભાવિત છત્તીસગઢના દંતેવાડા વિસ્તારમાં આઇઇડી બ્લાસ્ટમાં પાંચ જવાન શહીદ થઇ ગયા છે. શહીદ જવાનોમાં ત્રણ છત્તીસગઢ આર્મ્ડ ફોર્સ જ્યારે બે જિલ્લા પોલીસ હોવાનું સામે આવ્યું છે.

2

પ્રાપ્ત જાણકારી અનુસાર પોલીસ ફોર્સ રવિવારે સવારે દંતેવાડાના ચોલનારર ગામમાં સર્ચ અપરેશન માટે નીકળી હતી તે દરમિયાન તેનુ તેમનું વાહન સુરંગ પર આવી જતા વિસ્ફોટ થયો હતો. નક્સલિઓએ સુરક્ષાદળ અને પોલીસ ફોર્સને નિશાન બનાવે તે પહેલાજ ત્યાં વિસ્ફોટક સુરંગ બિછાવી રાખી હતી.

3

જિલ્લાના એસપીએ આ ઘટનાની પુષ્ટી કરતા કહ્યું કે, નક્સલિઓની શોધખોળ અને ધરપકડની પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે. જાણકારી પ્રમાણે વાહનમાં પોલીસ સહિત 7 જવાન હતા. ઘટના બાદ નક્સલિઓએ જવાનો પાસેથી ઇન્સાસ રાઇફલ લૂંટી લઈ ઘટનાસ્થળથી ફરાર થઇ ગયા છે.

4

આ ઘટનામાં બે જવાન ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. ઘાયલ જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • છત્તીસગઢના દંતેવાડામાં IED બ્લાસ્ટમાં પાંચ પોલીસકર્મી શહીદ, 2 ઘાયલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.