Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
સરકારે ડોકલામ વિવાદ અને જમ્મુ-કાશ્મીર મુદ્દે વિપક્ષને જાણકારી આપી
ભારત-ભૂટાન-તિબેટ વચ્ચે પડનાર સિક્કિમના ડોકલામ ક્ષેત્રમાં ચીન દ્વારા યથાસ્થિતિને બગાડવાનો પ્રયાસ કરવાનો ભારતે દાવો કર્યો. ચીન અને ભારત વચ્ચે ડોકમાલ ક્ષેત્રમાં છેલ્લા ત્રણ સપ્તાહથી તણાવ ચાલી રહ્યો છે. આ તણાવ ચીની સેના દ્વારા એક રસ્તાના નિર્માણ કરવાના પ્રયત્ન બાદ શરૂ થયો છે. ભારત આ ક્ષેત્રને ડોક લા કહે છે. જ્યારે ભુટાન આ ક્ષેત્રને ડોકલામ તરીકે ઓળખે છે. ચીન આ વિસ્તારને પોતાના ડોંકલાંગનો ભાગ હોવાનો દાવો કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિપક્ષી નેતાઓએ ચીન અને કશ્મીરના મુદ્દે નિવેડો લાવવા સરકારના કામકાજની રીતની ટીકા કરી છે. કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ચીનના મામલામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મૌન પર ગયા બુધવારે સવાલ ઉઠાવ્યા હતાં તેમણે મોદી પર એવો આક્ષેપ કર્યો કે આવી નિતિઓ પર ચાલવાના કારણે કાશ્મીરનમાં આંતકવાદિઓને મોકો મળ્યો.
સરકારના મુખ્ય પ્રવક્તા ફેંક નોરોન્હાએ કહ્યું કે, બેઠકનો મુખ્યો ઉદ્દેશ્ય જુદા જુદા પક્ષના સાંસદોને ચીન-ભારતની સરહદ પરની સ્થિતિ વિશે અને અમરનાથ યાત્રા પર થયેલા આંતકી હુમલા વિશે અવગત કરાવવાનું હતું. સાંસદ આંનદરાય અડસુલે કહ્યું કે, સરકારે ચીન સાથે લડવા માટે વધારે આક્રમક વલણ અપનાવવું જોઈએ.
મંત્રીઓએ વિપક્ષ નેતોઓને જણાવ્યું કે, ડોભાલ 26-27 જુલાઈએ ચીન જશે અને ચીન સમક્ષ ભારતનો પક્ષ મુકશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ડોકલામની સ્થિતિ પર રાજનિતીક પક્ષોના વરિષ્ઠ કેંદ્રીય મંત્રીઓ તરફથી બ્રિફીંગમાં કૂટનીતિના માધ્યમથી ભારત અને ચીનની ભાગીદારી રાખવાના મહત્વને રેખાંકિત કર્યું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગોપાલ બાંગલેએ કહ્યું કે, તમામ પક્ષોએ ભારતની રાષ્ટ્રીય એકતા પર સમર્થન આપ્યું છે. કૂટનીતિના માધ્યમથી ભારત-ચીનની ભાગીદારી રાખવાને સમર્થન આપ્યું છે. કૉંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ અને આનંદ શર્માએ બેઠક બાદ કહ્યું કે, તેમની પાર્ટીએ સરકારની નીતિ પર સંશય પ્રગટ કર્યા છે પરંતુ સ્પષ્ટતા કરી છે કે, “પ્રથમ રાષ્ટ્ર છે. ચીન હોય કે કાશ્મીર” વધુમાં કહ્યું કે, “ચીન સાથે ખૂબ તણાવ છે અને કૂટનીતિ દ્વારા તેને ઓછો કરવો જોઈએ, સંસદમાં અમે આ મુદ્દો ઉઠાવશું” તૃણમુલ કૉંગ્રેસના નેતા ડેરેક ઓબ્રાયને કહ્યું કે, તેમની પાર્ટીએ કેટલાક ગંભીર સવાલ ઉઠાવ્યા અને દાવો કર્યો કે સરકારની પાસે આ પ્રકારની ઘટનાઓની તૈયારી પર તેમના સવાલના કોઈ જવાબ નથી.
નવી દિલ્લી: સરકારે ગઈકાલે વિપક્ષના નેતાઓને જણાવ્યું કે, ચીન આંતરરાષ્ટ્રીય સરહદની પાસે રસ્તાનું નિર્માણ કરી દેશની રણનીતિક હિતોને નુકાસન કરી રહ્યું છે, અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આ મહિનાના અંતમાં તેના ચીનના સુરક્ષા સલાહકાર સામે નવી દિલ્લીની વાત કરશે. ગૃહમંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, રક્ષા મંત્રી અરૂણ જેટલી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલ તથા વિદેશ સચિવ એસ જયશંકર સહિત મુખ્ય અધિકારીઓએ સોમવારથી શરૂ થઈ રહેલા સંસદ સત્ર પહેલા વિપક્ષ નેતાઓને જાણકારી આપી. આ મીટિંગમાં ડોભાલ તથા જયશંકરે કૉંગ્રેસ, વામપંથી દળ, એનસીપી અને તૃણમુલ કૉંગ્રેસ સહિત વિપક્ષ નેતાઓ સમક્ષ વિસ્તૃત રજૂઆત કરતા કહ્યું કે, ભારતીય સેનાનાં ભારત-ભુતાન-ચીન ટ્રાઈજંક્શનમાં ચીનની પિપલ્સ લિબરેશન આર્મી સાથે મડાગાંઠ ચાલી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -