✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ચીનની ભારતને ચીમકી- કોઈપણ યુદ્ધ માટે અમે તૈયાર, ભારતે દરેક વાતમાં કર્યો વિશ્વાસઘાત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Jul 2017 11:17 AM (IST)
1

જો કે, 16 જૂનથી વધેલા તણાવ બાદ ચીન મીડિયા સતત આ પ્રકારની ભાષાનો પ્રયોગ કરતું આવ્યું છે. ચીન સતત આવાજ ઉઠાવી રહ્યું છે કે, ડોકલામ સેક્ટરમાંથી ભારતને હટાવવું જોઈએ. ત્યારે ભારતની પ્રજા પણ એવું વિચારે છે ભારત-ચીન સાથે યુદ્ધ માટે સંઘર્ષ કરી રહ્યું છે. વધુમા લખ્યુ કે, હાલમાં બન્ને દેશ વચ્ચે રાજનૈતિક વાતો ચાલી રહી છે. પરંતુ બધી બાજૂએથી સંબંધમાં ભારત તરફથી ઝેર આપવામાં આવ્યું છે. જો ભારત આર્થિક અને સૈન્ય લેવલ પર સંખ્યાનો મુકાબલો કરવા માંગે છે તો ચીન પણ તૈયાર છે. તે સરહદા પર કોઇ પણ પ્રકારના સ્ત્રોતનો ઉપયોગ કરી શકે છે. તિબેટમાં પણ ચીને નિર્માણ કર્યું છે. જે ભારત, ભૂટાન અને નેપાળની સરહદ પાસે છે. આ એક સેનાની તાકાતનો મુકાબલો છે. જેની સાથે આર્થિક વિકાસની પણ હરીફાઈ છે.

2

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં લખ્યું હતું કે, 1962 બાદ ભારતે સતત ઉશ્કેરવાનો આરોપ લાગાવ્યો છે, ઉપરાંત ચીને ભવિષ્યમાં તમામ ઘર્ષણ માટે તૈયાર રહેવું જોઈએ. ચીને આગળ વધી LAC પર યુદ્ધ કરવું જોઈએ. ડોકલામ વિસ્તારમાં નિર્માણ વધારવું જોઈએ સાથે સેનાની સંખ્યા પણ વધારવી જોઈએ. ચીન ભારત સાથે કોઈ પણ પ્રકારના યુદ્ધથી નથી ડરતું અને તેના માટે તૈયાર છે.

3

સરહદ વિવાદના કારણે ભારત અને ચીન વચ્ચે તણાવ દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યો છે. ત્યારે ચીની મીડિયાએ ધમકી ભર્યા શબ્દમાં સ્પષ્ટ લખ્યું છે કે, ચીન કોઇ પણ પ્રકારના યુદ્ધ માટે તૈયાર છે. ડોકલામના મુદ્દે ચીન યુદ્ધ માટે પણ પાછળ નહીં હટે અને આવું થાય તો ભારતને આ મુદ્દે ભોગવવું પડશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • ચીનની ભારતને ચીમકી- કોઈપણ યુદ્ધ માટે અમે તૈયાર, ભારતે દરેક વાતમાં કર્યો વિશ્વાસઘાત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.