શિવરાજનું સંતો સાથે સેટિંગ? નર્મદા ગોટાળા યાત્રા પહેલા 5 બાબાને બનાવ્યા રાજ્યમંત્રી

કોણ છે કૉમ્પ્યુટર બાબાઃ- કૉમ્પ્યુટર બાબાની મધ્યપ્રદેશના પ્રખ્યાત સંતોમાં ગણતરી થાય છે. તેમનું નામ નામદેવદાસ ત્યાગી છે. કહેવાય છે કે તેમનું નામ કૉમ્પ્યુટર બાબા તેમના તેજ મગજ, સ્માર્ટ વર્કિંગ તથા કાર્યશૈલીના કરાણે પડ્યું છે.
ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ સરકારે નર્મદાનંદજી, હરિહરાનંદજી, કૉમ્યુટર બાબાજી, ભય્યુજી મહારાજ અને યોગેન્દ્ર મહંતજીને રાજ્ય સરકારમાં રાજ્યમંત્રી સ્તરનો હોદ્દો પ્રદાન કર્યો છે.
નોંધનીય છે કે, બાબાઓના નેતૃત્વમાં 28 માર્ચ સંત સમાજન સાથે બેઠક થઇ હતી. આમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાજ્યના 45 જિલ્લાઓમાં 6.5 કરોડ છોડોની ગણતરી કરાવવામાં આવશે અને ગોટાળાને બહાર પાડવામાં આવશે. આ અતંર્ગત કૉમ્યુટર બાબાએ નર્મદા ગોટાળા રથ યાત્રા કાઢીશું.
કૉમ્પ્યુટર બાબાએ થોડાક સમય પહેલા પૉસ્ટર રજૂ કરી નર્મદા ગોટાળા રથ કાઢવાની જાહેરાત કરી હતી, આ યાત્રા 1 લી એપ્રિલથી 15 મે સુધી આખા રાજ્યમાં નીકળવાની હતી, પણ હવે તેમનું કહેવું છે કે આ ગોટાળાની વાતનો કોઇ પ્રશ્ન જ ઉભો નથી થતો, અમે જનજાગરણ કરીશું. ઉલ્લેખનીય છે કે, આ યાત્રા અંતર્ગત વૃક્ષારોપણ ગોટાળો, નર્મદા ગેરકાયદેસર ખનન, નર્મદા પરિક્રમા ગોટાળા, ગૌમાતા સંરક્ષણ વગેરે જેવા મામલાઓને ઉઠાવવાના હતા.
ભોપાલઃ મધ્યપ્રદેશની શિવરાજ સિંહ સરકારે કાલે જે પાંચ સંતોને રાજ્યમંત્રીનો હોદ્દો આપ્યો હતો, તેમાંથી એક કૉમ્પ્યુરર બાબા સરકાર વિરુદ્ધ 'નર્મદા ગોટાળા રથ યાત્રા' કાઢવાના હતા, પણ સરકારે રાજ્યમંત્રી બનાવતા જ તેમનો સૂર બદલાઇ ગયો છે.