✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શશિકલા સામે જયલલિતાને ધીરે ધીરે ઝેર આપી ખતમ કરવાનો થયો હતો આક્ષેપ, જાણો શું છે વિવાદ ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Feb 2017 09:36 AM (IST)
1

ચેન્નાઈ: વી. કે. શશીકલા એક પણ ચૂંટણી લડ્યા વિના તમિલનાડુના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. હાલના સીએમ પન્નીરસેલ્વમ પણ રાજીનામુ આપવા તૈયાર થઈ ગયા છે. ત્યારે જાણો કોણ છે શશિકલા અને કેવી હતી તેમની મૈત્રી જયલલિતા સાથે.

2

જયલલિતાના મૃત્યુ પછી પક્ષમાં સત્તાના બે કેન્દ્રો સર્જાયા હતા, જેમાં એક શશીકલાનું હતું અને બીજું પન્નીરસેલવમનું. અમ્માના મૃત્યુ પછી એઆઈએડીએમકેનો વારસો ચિનમ્માને સોંપવાની વાત થતાં જ જયલલિતાની ભત્રીજી અને અન્ય સ્વજનોએ શશીકલાને ધોકેબાજ કહીને તેમનો વિરોધ કર્યો હતો. શશીકલા અને પન્નીરસેલવમ થેવર સમુદાયના નેતાઓ છે. આ બંને નેતાઓ પાસે જયલલિતા જેવો જનાધાર નથી, પરંતુ જયલલિતાના ગાઢ સાથીદારના નાતે શશીકલાનું પલડું પન્નીરસેલવમથી થોડું નમી ગયું છે.

3

જોકે, સતત જયલલિતાની સાથે રહેવાના કારણે શશીકલાનો પણ એઆઈએડીએમકેમાં જબરદસ્ત પ્રભાવ ઊભો થયો હતો. પક્ષના વરિષ્ઠ સભ્યો, કાર્યકરો અને સનદી અધિકારીઓ જયલલિતાને અમ્મા અને શશીકલાને ચિનમ્મા તરીકે સંબોધિત કરતા.

4

વર્ષ ૨૦૧૧માં કેટલાક લોકોએ શશીકલા પર જયલલિતાને ઝેર આપવાનો ગંભીર આરોપ મૂક્યો હતો. શશીકલા પર આરોપ હતો કે, તેઓ અમ્માની હત્યા કરીને પતિ નટરાજનને તમિલનાડુના મુખ્યમંત્રી બનાવવા માગે છે.આ વિવાદ પછી જયલલિતાએ શશીકલાને પક્ષમાંથી કાઢી મૂક્યા હતા. જોકે, આ ઘટના પછી શશીકલાએ માફી માગીને જયલલિતાને મનાવી લીધા હતા અને તેમને પક્ષમાં ફરી સ્થાન મળી ગયું હતું.

5

છેલ્લાં ૩૦ વર્ષથી જયલલિતાના રાજકીય દાવપેચના સાક્ષી રહ્યા છે. આશરે ત્રણ દાયકા સુધી જયલલિતાના ગાઢ સાથીદાર તરીકે પણ શશીકલા તેમની સાથે પડછાયાની જેમ રહ્યા હતા. જયલલિતા હોસ્પિટલના બિછાને હતા ત્યારે પણ શશીકલા સતત તેમની સાથે હતા. એઆઈએડીએમકેમાં જયલલિતાને વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો અમ્મા તરીકે સંબોધિત કરતા, જ્યારે શશીકલાને ચિનમ્મા તરીકે બોલાવતા. ચિનમ્માનો અર્થ નાની અમ્મા કે બહેન એવો થાય છે.

6

શશીકલા અને જયલલિતાની મુલાકાત વર્ષ ૧૯૮૦માં થઈ હતી. એ અરસામાં શશીકલા પક્ષના પ્રચાર સચિવ હતા. એ પછી જયલલિતા અને શશીકલાની દોસ્તી જામી હતી. જયલલિતાની 'અમ્મા' બનવાની સફરની સૌથી નજીકના સાક્ષી શશીકલા છે, જે સળંગ ૩૦ વર્ષ તેમના રાજકીય અને અંગત સાથીદાર રહ્યા હતા. શશીકલા પોતાના પરિવાર સાથે જયલલિતાની સાથે તેમના ઘરમાં રહેવા લાગ્યા હતા.

  • હોમ
  • India-news
  • દેશ
  • શશિકલા સામે જયલલિતાને ધીરે ધીરે ઝેર આપી ખતમ કરવાનો થયો હતો આક્ષેપ, જાણો શું છે વિવાદ ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.