રક્ષામંત્રીના સરહદની મુલાકાતથી ગુસ્સે ભરાયું ચીન- કહ્યું- આ પગલું શાંતિ માટે યોગ્ય નથી
જણાવી દઈએ કે ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા 3,488 કિલોમીટ લાંબી છે. ચીન દાવો કરે છે કે અરૂણાચલ પ્રદેશ દક્ષિણ તિબેટનો હિસ્સો છે. તેણે ભારતના આ વિસ્તારના દાવા પર સતત આપત્તિ જતાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસીતારમણે ત્યાં તહેનાત સૈનિકો સાથે મળી અને આવા દુર્ગમ ક્ષેત્રમાં તેની સેવા અને સમર્પણની પ્રશંસા કરી હતી.
નવી દિલ્લી: રક્ષામંત્રી નિર્મળા સીતારમણની અરૂણાચલ યાત્રાને લઈને ગભરાયું ચીન. ચીને પ્રતિક્રિયા આપતા કહ્યું કે ક્ષેત્રમાં શાંતિ ખ્યાલ માટે આ યોગ્ય નથી.
જણાવી દઈએ કે સીતારમણ છેલ્લા મહીનામાં સિક્કિમમાં ભારત-ચીન સરહદ પર સ્થિત નાથૂ લા વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે સરહદની પાર ઊભેલા પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકોનું પણ અભિવાદન કર્યું હતું.
ચીન વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનિંગે કહ્યું, એક વાત અહીં સ્પષ્ટ હોવી જોઈએ કે ભારત-ચીન સરહદના પૂર્વ ભાગને લઈને વિવાદ છે. ભારતીય રક્ષામંત્રીની આ યાત્રા તે ક્ષેત્રમાં શાંતિ જાળવી રાખવાના પ્રયાસોના ખ્યાલથી યોગ્ય નથી.
જો કે, હાલમાંજ રક્ષામંત્રીએ રવિવારે અરૂણાચલ પ્રદેશમાં ચીનની સરહદ સાથે જોડાયેલ સુદૂર અંજાવ જિલ્લામાં ભારતીય સેનાની ખુખ્ય ચોકી મુલાકાત લીધી અને રક્ષાની તૈયારીઓનો પણ રિપોર્ટ મેળવ્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -