કુમારસ્વામી સહિત ચાર મુખ્યમંત્રીનો AAPને મળ્યો સાથ, કેજરીવાલે કહ્યું- PMના હાથમાં દેશનું લોકતંત્ર સુરક્ષિત નથી

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ઉપરાજ્યપાલ અનિલ બેજલની ઓફીસમાં ધરણાંનો આજે સાતમો દિવસ છે સાથે તેના કેબિનેટ સહયોગીઓની ભૂખ હડતાળ ચાલું છે. તેને લઈને દિલ્હીમાં સંવૈધાનિક સંકટ જેવી સ્થિત સર્જાઇ છે. જ્યારે ઉપરાજ્યપાલ અનિલ બેજલ તેમને મળવા તૈયાર નથી. તેની વચ્ચે ગઇ કાલે રાતે ચાર રાજ્યોના પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને કેરળના મુખ્યમંત્રી કેજરીવાલના સમર્થનમાં દિલ્હી પહોંચ્યા છે અને વડાપ્રધાન મોદીને આડે હાથ લીધા છે.
પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, કેરળ અને કર્ણાટકના મુખ્યમંત્રીઓએ શનિવાર સાંજે અરવિંદ કેજરીવાલના સમર્થમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ચંદ્રબાબુ નાયડૂએ કહ્યું કે દિલ્હી સરકારની માગ સ્વિકારવી જોઇએ. મમતા બેનર્જીએ પણ આ વાતને સમર્થન આપ્યું. આ ચાર મુખ્યમંત્રીએ કેજરીવાલન મળવાની અનુમતિ પણ માંગી હતી પરંતુ તેમને અનુમતિ આપવામાં આવી નથી. આ સિવાય ડીએમકે નેતા એમકે સ્ટાલિન અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર ઉબ્દુલ્લાનો પણ કેજરીવાલને સાથ મળ્યો છે.
દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારની માંગ છે કે આઇએએસ અધિકારીઓની હડતાળ પૂરી કરવાનો આદેશ આપવામાં આવે. નોંધનીય છે કે દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે 19-20 ફેબ્રુઆરી દરમિયાન રાતે કથિત રીતે થયેલી મારપીટ બાદ આઇએએસ અધિકારી હડતાળ પર છે.
આજે સવારે સીએમ કેજરીવાલે ટ્વીટ કરી કહ્યું કે, જે વડાપ્રધાન કોઈ રાજ્યમાં અધિકારીઓની હડતાળ કરવાની ત્યાં કામ કાજ ઠપ કરાવે છે, શું આવા વડાપ્રધાનના હાથમાં દેશનું લોકતંત્ર સુરક્ષિત છે?
ચંદ્રબાબુ નાયડૂએ કહ્યું, “અમે ઉપરાજ્યપાલને પત્ર લખી સમય માગ્યો હતો પણ કોઇ જવાબ ન મળ્યો. ચારે મુખ્યમંત્રી કેજરીવાલને મળવા માંગતા હતા. વિપક્ષી પાર્ટીઓએ સરકારના કામકાજમાં કેન્દ્રએ દખલગીરી કરવા ન દેવી જોઇએ.”કુમારસ્વામીએ કહ્યું, “કેન્દ્ર સરકારે દિલ્હીની સમસ્યાના નિરાકરણ માટે તાત્કાલિક કાર્યવાહી જોઈએ.”