IMFની કેન્દ્રને સલાહઃ ગામડાઓમાં ફરીથી 500 અને 1000ની જૂની નોટો ચાલુ કરો
આઈએમએફના એશિયા-પેસિફિક મિશનના આસિસ્ટન્ટ ડિરેક્ટર પોલ એ કાશિનના જણાવ્યા પ્રમાણે વેક્યુમ ક્લીનરથી રોકડ ખેંચી લીધા પછી નવી કરન્સી રજૂ કરવામાં ક્લીનરને રિવર્સ ચલાવાયું તેના કારણે માર્કેટમાં ગંભીર અસર પડી છે. તેણે એવી પણ સલાહ આપી છે કે નોટબંધીને કારણે ભારતના વિકાસ દર નકારાત્મક અસર પડી છે અને તેનાથી દેશની બેંકોની એનપીએ વધી જશે.
આઈએમએફએ દેશમાં જારી કરન્સી સંકટના સંદર્ભે કહ્યું હતું કે, આઠમી નવેમ્બરે લેવામાં આવેલા નોટબંધીના નિર્ણયે માર્કેટમાંથી રોકડને એ રીતે ખેંચી લીધી છે જેમ કોઈ વેક્યુમ ક્લીનર સફાઈ કરતી વખતે કોઈ વસ્તુ ખેંચી લે છે.
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF)એ ભારત સરકારને માર્કેટમાં કરન્સી સંકટનો સામનો કરવા માટે પોતાના રિપોર્ટમાં એવી સલાહ આપી છે કે તેણે નવી કરન્સી સપ્લાય વધારવા સાથે ગ્રામીણ અને દૂરદરાજના ઈલાકાઓમાં ફરી એક વખત જૂની નોટો શરૂ કરી દેવી જોઈએ.
વોશિંગ્ટનઃ ભારતમાં નોટબંધી બાદ રોકડની ગંભીર સમસ્યા ઊભી થઈ અને તેના કારણે વપરાશ પર તેની ખરાબ અસર પડી છે. ઇન્ટરનેશનલ મોનેટરિ ફંડ (IMF)ના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, નોટબંધી વેક્યૂમ ક્લીનરની જેમ રોકડ બજારમાંથી ખેંચી લીધી અને હવે ધીમી ગતિએ નવું ચલણ બજારમાં આવી રહ્યું છે.