છત્તસીગઢ: દંતેવાડામાં દૂરદર્શનની ટીમ પર નક્સલી હુમલો, કેમેરામેનનું મોત, બે પોલીસ જવાન શહીદ
રાયપુર: છત્તીસગઢના દંતેવાડામાં દૂરદર્શનની ટીમ પર નક્સલી હુમલો થયો છે. આ હુમલામાં દૂરદર્સનના કેમેરામેનનું મોત થયું છે. જ્યાં હુમલો થયો તે જગ્યાનું નામ અરનપુર છે. આ એ સ્થળ છે જ્યાં પ્રથમ વખત મતદાન થવાનું છે. દૂરદર્શનની ટીમ તેના જ રિપોર્ટીંગ માટે પ્રવાસ પર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે જણાવ્યું કે દૂકદર્શનની ટીમ પર પણ નક્સલિઓએ ગોળીબાર કર્યો છે, જેમાં કેમેરામેન અચ્યુતાનંદ સાહૂનું ગોળી લાગવાથી મોત થયું છે. અન્ય એક પત્રકારને પણ ઈજા થઈ હોવાની સુચના છે.
દંતેવાડા પોલીસ અધિક્ષક અભિષેક પલ્લવને જણાવ્યું કે, અરનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નીલવાયામાં મંગળવારે નક્સલિઓ ઘાતક હુમલો કર્યો હતો. આ અથડામણમાં એએસઆઈ રૂદ્રપ્રતાપ અને સહાયક મંગલરામ શહીદ થયા છે. જ્યારે જવાન વિષ્ણ નેતામ અને સહાયક આરક્ષક રાકેશ કૌશલ ઘાયલ થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -