નોટબંધીની અસર ચુંટણીઓ પર, ચુંટણીપંચે ખર્ચ અંગે લાદ્યા કેવા નિયંત્રણો? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Jan 2017 12:52 PM (IST)
1
નવી દિલ્લીઃ કેન્દ્રીય ચુંટણીપંચે આજે પ્રેસ કોન્ફરન્સ ભરીને પાંચ રાજ્યોનો ચુંટણી કાર્યક્રમ જાહેર કર્યો હતો. આ પહેલા ચુંટણી કમિશનર ડૉ. સૈયદ નસિમ અહેમદ ઝૈદીએ ચુંટણી ખર્ચ અંગે કેટલાક નિયંત્રણોની જાહેરાત કરી હતી.
2
ચુંટણી કમિશનરે જણાવ્યું હતું કે, દરેક ઉમેદવારે ચૂંટણી ખર્ચ માટે અલગ બેન્ક ખાતું ખોલવાનું રહેશે અને રૂ 20 હજારથી વધુનો ખર્ચ ચેકથી કરવાનો રહેશે.
3
ઉમેદવાર કે રાજકીય પક્ષની માલિકીની ચેનલ પર જે પ્રચાર કરવામાં આવશે તેને ઉમેદવારના ખર્ચ પેટે ગણવામાં આવશે.
4
યુપી-પંજાબની બેઠક પર ઉમેદવાર રૂ. 28 લાખ તથા મણિપુર-ઉત્તરાખંડ તથા ગોવામાં રૂ. 20 લાખ સુધીનો ખર્ચ કરી શકશે.
5
ઉમેદવારોએ વધારાની એફિડેવિટ દાખલ કરવાની રહેશે. જેમાં સરકારી ખાતાઓની રકમ નીકળતી ન હોવાનું જણાવવું પડશે.