ચોંકાવનારો ઘટસ્ફોટ: PNB કૌંભાડનો ‘માસ્ટર માઈન્ડ’ નિરવ મોદી નહીં આ હતો, જાણો વિગત
પંજાબ નેશનલ બેંક કૌભાંડનો આરોપી વેપારી મેહુલ ચોક્સી એન્ટિગુઆ ભાગ્યો હોવાની પુષ્ટી કરવામાં આવી છે. આ મામલે મેહુલ ચોક્સીએ ખુદ ખુલાસો કરતા કહ્યું હતું કે, મેં એન્ટિગુઆની નાગરિકતા લેવા માટે કંઈ ખોટું નથી કર્યું. આ વાત મેહુલ ચોક્સીએ પોતાના વકીલ ડેવિડ ડોરસેટનાં માધ્યમથી કહી છે.
EDનું સમન્સ મળે તે પહેલાં જ મેહુલ ચોક્સી એન્ટિગુઆ ભાગી ગયો હતો. ચોક્સીને લાગી રહ્યું હતું કે, અમેરિકામાં તેની ધરપકડ થઈ શકે છે. ચોક્સીએ એન્ટિગુઆની નાગરિકતા પણ લઈ લીધી છે. આ પહેલા મેહુલ ચોક્સીએ મોબ લિંચિગનું કારણ હાથ ધરતા ભારત આવવાની મનાઈ કરી હતી.
EDએ જણાવ્યું હતું કે, મેહુલ ચોક્સી આ કૌભાંડનો માસ્ટર માઈન્ડ હતો. તેણે આ છેતરપિંડીની યોજના તૈયાર કરી હતી અને પૈસાની હેરફેર પણ તેના દ્વારા જ કરવામાં આવી હતી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ મુંબઈ કોર્ટમાં જણાવ્યું હતું કે, 13,000 કરોડ રૂપિયાનાં PNB કૌભાંડનો અસલી માસ્ટરમાઇન્ડ મેહુલ ચોક્સી છે. આ પહેલા માનવામાં આવતું હતું કે આ સંપૂર્ણ કૌભાંડ નિરવ મોદીએ રચ્યું હતું. પરંતુ મેહુલ ચોક્સી અને નીરવ મોદી વચ્ચે મામા-ભાણીયાનો સંબંધ છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ કોર્ટમાં વધુમાં જણાવ્યું હતું કે, આ ઘટનાને અંજામ આપવા માટે બનાવવામાં આવેલી કંપનીઓનાં નિર્દેશક અથવા પાર્ટનર ડમીની જેમ કામ કરી રહ્યા હતા અને બધાં જ નિર્ણયો ચોક્સી લેતો હતો.
નવી દિલ્હી: છેલ્લા કેટલાય સમયથી પીએનબી કૌંભાડની ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં ED અલગ-અલગ જગ્યા દરોડા પાડ્યા હતાં જોકે હજુ પણ બે મુખ્ય આરોપી વિદેશમાં ફરાર થઈ ગયા છે. જોકે EDએ એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો.