કેન્દ્રીય પર્યાવરણમંત્રી અનિલ માધવનું આજે વહેલી સવારે નિધન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 May 2017 10:11 AM (IST)

1
નવી દિલ્લીઃ કેંદ્રીય પર્યાવરણ મંત્રી અનિલ માધવ દવેનું આજે સવારે નિધન થયુ છે. તેઓ દિલ્લીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ હતા. અનિલ દવેનો જન્મ 6 જુલાઇ 1956ના રોજ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલા બડનગરમાં થયો હતો. તેમણે ઇંદોરની ગુજરાતી કોલેજમાંથી એમકોમનું શિક્ષણ પ્રાપ્ત કર્યુ હતુ. તેમના નિધનથી પરિવાર અને મિત્રોમાં શોકની લાગણી ફરી વળી છે.
2
અનિલ માધવનું નિધન હૃદયરોગના હુમલાને કારણે થયું છે. આ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુઃખ પ્રગટ કર્યું છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, મારા મિત્ર અને એક મોટા સન્માનિત સહયોગીનું અચાનક નિધન થતાં ચોંકી ઉઠ્યો છું. તેમના માટે મારી પૂરી સંવેદના છે.