✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પૂર્વ જસ્ટિસ ચેલેમેશ્વર બોલ્યા- સંવિધાન મુજબ આર્થિક આધાર પર ન મળી શકે અનામત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Jan 2019 04:23 PM (IST)
1

ઉલ્લેખનીય છે કે હાલમાં જ સંસદમાં સંવિધાનમાં 124માં સંશોધન કરતા સામાન્ય વર્ગ માટે અનામતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સંશોધનથી સરકારે સામાન્ય વર્ગના ગરીબો માટે 10 ટકા અનામતની વ્યવસ્થા કરી છે. આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. સંસદમાંથી મંજુરી મળ્યા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ હસ્તાક્ષર કરી દિધા છે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ ઘણા રાજ્યોને તેને લાગૂ કરી દિધુ છે. સરકારની નીતિયો મુજબ, ફેબ્રુઆરીથી ગરીબ સવર્ણોને અનામત મળવા લાગશે.

2

આઈઆઈટી મુંબઈના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ જે ચેલેમેશ્વરે કહ્યું, અનામતથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત લોકોને જ આગળ વધારી શકાય છે. જસ્ટિસ ચેલેમેશ્વરે કહ્યું, અનામતના માધ્યમથી આર્થિક રીતે પછાત લોકોનું કલ્યાણ ન થાય. વિદ્યાર્થીઓને સંબોધિત કરતા જસ્ટિસ ચેલેમેશ્વરે કહ્યું, સંવિધાન મુજબ અનામતથી સામાજિક અને શૈક્ષણિક રૂપથી પછાત લોકોને જ તેનો લાભ મળી શકે છે આર્થિક રૂપથી પછાત લોકોને નહી. આ મામલાને લઈને કોર્ટનો શું વલણ હોય છે તે મને નથી ખબર.

3

મુંબઈ: મોદી સરકારે હાલમાં જ ગરીબ સવણોને 10 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો છે. તેની સાથે જોડાયેલ સંવિધાન સંશોધન બીલને બંને સદનમાં માત્ર બે દિવસમાં પાસ કરવામાં આવ્યું હતું. સરકાર તેને મોટો નિર્ણય ગણાવી રહી છે ત્યારે સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ જે ચેલેમેશ્વરે તેના પર સંવિધાનનો હવાલો આપતા સવાલો ઉઠાવ્યા છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • પૂર્વ જસ્ટિસ ચેલેમેશ્વર બોલ્યા- સંવિધાન મુજબ આર્થિક આધાર પર ન મળી શકે અનામત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.