ફરીદાબાદમાં એક જ પરિવારના 4 સભ્યોએ ગળાફાંસો ખાઈ કરી આત્મહત્યા
ફરીદાબાદ: હરિયાણાના ફરીદાબાદની દયાલબાગ કૉલોનીના એક ઘરમાં 4 લોકોએ પોતાની જાતને ફાંસી લગાવવાની ઘટનાએ સૌને ચોકાવી દિધા છે. એક જ પરિવારની ત્રણ બહેનો અને એક ભાઈએ ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી છે. દયાલબાગ કૉલોનીના સી-31 મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પરથી લોહી બહાર આવી રહ્યું હતું. લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસને 3 બહેન અને એક ભાઈની વટકતી લાશ મળી હતી.
પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે બારીમાંથી જોયુ ત્યારે મહિલાઓની બે લાશ મળી. જે બાદ સુચના મળતા SHO વિશાલ પણ ઘટના સ્થળે પહોચ્યા હતાં.
લાશ પાસેથી પોલીસને 18 ઓક્ટોબરની લખેલી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં આત્મહત્યા પાછળનું કારણ આર્થિક તંગી જણાવવામાં આવી રહ્યું છે.તેમનાં ફ્લેટનો દરવાજો પાછળથી ઘણા દિવસોથી બંધ હતો અને ત્યાંથી ઘણી જ દુર્ગંધ આવતી હતી. જે બાદ આસપાસનાં લોકોએ તેની જાણકારી દયાલબાગ પોલીસને આપી હતી.