✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બિહારમાં CM વિજય રૂપાણી અને કોંગ્રેસના MLA અલ્પેશ ઠાકોર વિરૂદ્ધ કેમ કરવામાં આવી ફરિયાદ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Jan 2019 07:32 AM (IST)
1

અમદાવાદઃ બિહારના મુઝફ્ફરપુરની અદાલતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. વિજય રૂપાણી અને અલ્પેશ ઠાકોર સામે ગુજરાતમાં પરપ્રાંતિયો પર થયેલા હુમલાઓ મામલે ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગુજરાતમાં પરપ્રાંતિય પર હુમલાઓ થયા હતા. આ હુમલાઓના સંદર્ભમાં કરવામાં આવેલી અરજીના જવાબમાં સબ ડિવિઝનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સબા આલમે આદેશ કર્યો હતો.

2

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે અમદાવાદમાં એક પરપ્રાંતિય વ્યક્તિએ બાળકી પર કથિત બળાત્કાર ગુજાર્યો હોવાના સમાચાર બાદ સમગ્ર રાજ્યમાં પરપ્રાંતિઓ પર હુમલાઓની ઘટનાઓ બની હતી. હુમલાઓને પગલે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં પરપ્રાંતિયો હિજરત કરવા મજબૂર બન્યા હતા.

3

એક રિપોર્ટ અનુસાર, એક્ટિવિસ્ટ તમન્ના હાશમીએ કરેલી અરજીના જવાબમાં કોર્ટેના આદેશ બાદ મુઝફ્ફરપુરના કાન્ટી પોલીસ સ્ટેશનમાં રૂપાણી તેમજ અલ્પેશ ઠાકોર સામે કલમ 153, 295 અને 504 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જાહેર સુલેહશાંતિના ભંગ અને રાજકીય હેતુપ્રેરિત હુલ્લડ પ્રેરવા અંગે આ ફરિયાદ દાખલ થઈ છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • બિહારમાં CM વિજય રૂપાણી અને કોંગ્રેસના MLA અલ્પેશ ઠાકોર વિરૂદ્ધ કેમ કરવામાં આવી ફરિયાદ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.