દિલ્હીઃ અર્પિત પેલેસ હોટલમાં ભીષણ આગથી 17નાં મોત, લોકો જીવ બચાવવા ચોથા માળેથી કૂદી ગયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Feb 2019 08:08 AM (IST)
1
નવી દિલ્હીઃ દિલ્હીના કરોલબાગ વિસ્તરામાં આવેલ અર્પિત હોટલમાં ભીષણ આગ લાગવાથી 17 લોકોના મોત થયાના અહેવાલ છે. સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેને નજીકની હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. ફાયગ બ્રિગેટની 27 ગાડીઓ ઘટના સ્થળે હાજર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
હોટલમાં આગ લાગી જવાને કારણે લોકો જીવ બચાવવા માટે હોટલના ચોથા માળેથી નીચે કૂદી ગયા હતા. મળતા અહેવાલ પ્રમાણે જીવ બચાવવા માટે ચાર લોકો નીચે કૂદી ગયા હતા. ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે 25 લોકોને સલામત રીતે બહાર કાઢ વામાં આવ્યા છે. આગ મંગળવારે સવારે પાંચ વાગ્યે લાગી હતી. આગને કારણે લોકો હોટલ પરથી સસ્તા પર કૂદી ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -