SBIના ATMમાંથી નીકળી ‘ગાંધીજી’ વગરની 500ની નોટ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 May 2017 06:52 AM (IST)
1
એ પછી તેણે આ માહિતી ગાર્ડને આપી હતી અને તેણે એટીએમમાં રહેલા નંબર પર ફોન કર્યો હતો. આ નોટ બદલવા માટે રિઝર્વ બેન્કને મોકલવામાં આવી છે.
2
મધ્યપ્રદેશના ચંબલ વિસ્તારમાંથી એસબીઆઇના એટીએમમાંથી ગાંધીજીની તસવીર વગરની રૂપિયા ૫૦૦ની નોટ નીકળી હતી, જે જોઈને નાણાં કાઢનારા નાગરિક ચોંકી ગયા હતા. મુરૈના જિલ્લામાં એસબીઆઇના બ્રાંચમાંથી આ નોટો નીકળી હતી. ગોવર્ધન શર્મા નામનો રહેવાસી એસબીઆઇના એક એટીએમ પર ગયો તો ત્યાંથી તેને જે નોટ મળી તેની પર ગાંધીજીની તસ્વીર ન હતી.
3
ભોપાલઃ નોટબંધી બાદથી એટીએમમાંથી નંબર વગરની અથવા આવી જ અન્ય નોટ નીકળાની ઘટનાઓ સામે આવતી રહી છે. શનિવારે મધ્યપ્રદેશના મુરૈનમાં પણ આવી જ એક ઘટના બની. જ્યાં એટીએમમાંથી ગાંધીજીની તસવીર વગરની 500ની નોટ નીકળી. સ્ટેટ બેંકના એટીએમમાંથી આ 500ની નોટ નીકળી છે.