ગૌતમ ગંભીરનો સિસ્ટમ પર પ્રહાર, કહ્યું- બેટી બચાવોથી હવે શું આપણે બળાત્કારી બચાવો થઈ ગયા છે?
જણાવી દઈએ કે જમ્મુના કઠુઆ જિલ્લામાં રસ્સાનાં જંગલમાંથી 17 જાન્યુઆરીએ એક આઠ વર્ષની બાળકી આસિફાનો મૃતદેહ મળી આવ્યો છે. બાળકી તેના એક સપ્તાહ પહેલા જંગલમાં ઘોડા ચરાવતી વખતે લાપતા થઈ હતી. તેને એક મંદિરમાં ઘણા દિવસો સુધી બંધક બનાવી રાખવામાં આવી, તેને નશામાં રાખવામાં આવી હતી અને તેની સાથે ગેંગરેપ કરી તેની હત્યા કરી દેવામાં આવી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્યાં બીજી તરફ ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં સત્તાધારી બીજેપી પાર્ટીના ધારાસભ્ય અને અન્ય પર યુવતી સાથે કથિત રીતે ગેંગ રેપ કરવાનો આરોપ છે.
નવી દિલ્લી: ઉત્તરપ્રદેશના ઉન્નાવ અને જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં બનેલી બે અલગ અલગ ઘટનાઓથી દેશ ભરમાં આક્રોશનો માહોલ છે. ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે પણ આ ઘટનાઓને લઈને ગુનેગારોને પકડવા સિસ્ટમને પડકાર આપ્યો છે.
ગંભીરે બીજા એક ટ્વીટમાં કઠુઆમાં 8 વર્ષની બાળકીનો કેસ લડી રહેલી દીપિકા સિંહ રાજાવતના પક્ષમાં લખ્યું કે વકીલો પર શર્મ આવી રહી છે. જે દીપિકાનો વિરોધ કરી રહ્યાં છે. સરકાર અને પ્રશાસન પર સીધો પ્રહાર કરતા કહ્યું- બેટી બચાવોથી હવે શું આપણે બળાત્કારી બચાવો થઈ ગયા છે?
આ બન્ને ઘટનાને લઈને ગંભીરે સીધો સિસ્ટમ પર નિશાન સાધ્યું છે. ગંભીરે ટ્વીટ કરતા કહ્યું કે ઉન્નાવ અને કઠુઆની ઘટના ભારતની ચેતના સાથે બળાત્કાર છે. તેમણે આગળ લખ્યું ભારતનું તંત્ર ખૂબજ ખરાબ થઈ ગયું છે અને દેરક ગલીમાં તેની હત્યા થઈ રહી છે. ગૌતમ ગંભીરે સિસ્ટમને પડકાર આપતા લખ્યું કે જો હિમ્મત હોય તો અપરાધીઓની ધરપકડ કરો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -