✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સવર્ણોને આર્થિક અનામતનો ખરડો રાજ્યસભામાં રજૂ, વિપક્ષે મચાવ્યો હોબાળો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Jan 2019 09:21 AM (IST)
1

નવી દિલ્હીઃ આર્થિક રીતે પછાત સવર્ણોને 10 ટકા અનામત આપવા માટે મંગળવારે લોકસબામાં સોશિધિત બિલ પસાર થઈ ગયું છે. લોકસભા ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી સરકારના આ નિર્ણયને માસ્ટરસ્ટ્રોક ગણવામાં આવે છે. હવે કેન્દ્ર સરકાર સામે આ બિલને રાજ્યસભામાં પસાર કરાવવાનો પડકાર છે. રાજ્યસભામાં એનડીએ સરકારની પાસે બહુમત નથી, એવામાં આજે સરકાર કેવી રીતે આ બિલ પસાર કરાવે છે તે જોવાનું છે.

2

કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહેલોતે 124માં બંધારણ સંશોધન ખરડાને લોકસભામાં રજૂ કર્યો હતો. ચર્ચાની શરૂઆત કરતાં તેઓએ કહ્યું, આ 10% આરક્ષણ તમામ ધર્મના લોકો માટે છે. ખાનગી શૈક્ષેણિક સંસ્થાનોમાં પણ આ આરક્ષણ લાગૂ થશે. ચર્ચા દરમિયાન ઓવૈસીએ કહ્યું કે સવર્ણોને અનામત બંધારણની અવહેલના, આ બિલથી આંબેડકરનું અપમાન થયું છે. આ સાથે કોંગ્રેસ સાંસદ કેવી થોમસે કહ્યું- બિલનો વિરોધ નથી કરી રહ્યાં, પરંતુ અમારી માંગ છે કે આ પહેલાં સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની સમક્ષ મોકલાવું જોઈએ.

3

ગઈકાલે લોકસભામાં સવર્ણોને આર્થિક અનામત આપવાની તરફેણમાં 323 મત પડ્યા જ્યારે 3 મત વિરુદ્ધમાં ગયા હતા. હવે આજે રાજ્યસભામાં આ ખરડો મૂકવામાં આવશે. જોકે કોંગ્રેસ અને બસપાનું સમર્થન મળી રહે તો રાજ્યસભામાં પણ બિલ નિર્વિઘ્ને પસાર થઈ જાય તેવી શક્યતા હાલ વર્તાઈ રહી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • સવર્ણોને આર્થિક અનામતનો ખરડો રાજ્યસભામાં રજૂ, વિપક્ષે મચાવ્યો હોબાળો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.