કોને મળશે 10% સવર્ણ અનામતનો ફાયદો, જાણી લો કેટેગરી વિશે....
ઉલ્લેખનીય છે કે મોદી સરકારને સવર્ણોનું અનામત લાગુ કરવા માટે બંધારણનીના અનુચ્છેદ 15 અને અનુચ્છેદ 16માં ફેરફાર કરવો પડશે. ત્યારબાદ જ આર્થિક અનામત આપવાનો રસ્તો ચોખ્ખો થશે.
અનામતના દાયરામાં આ સવર્ણો આવશે.... 8 લાખથી ઓછી આવક ધરાવતા હોય, કૃષિ જમીન 5 હેક્ટરથી ઓછી હોય, ઘર હોય તો 1000 સ્ક્વેર ફૂટથી નાનું હોવુ જોઇએ, નિગમમાં રહેવા માટે પ્લૉટ હોય તો તે 109 યાર્ડથી ઓછી જમીન હોય, શહેરથી બહાર પ્લૉટ હોય તો 209 યાર્ડથી ઓછી જમીન હોય.
આ ઉપરાંત અનામતના હકદાર એ જ રહેશે જેના પાસે પાંચ એકરથી ઓછી જમીન હશે. સુત્રો અનુસાર EWS કેટેગરીમાં પણ સ્પષ્ટ કરી દેવામાં આવી છે, એટલે કે અનામતનો ફાયદો કોને મળશે, આનુ પણ નિર્ધારણ કરી દેવામાં આવ્યુ છે.
સુત્રો અનુસાર, પછાત સવર્ણોને અનામત આપવા માટે સરકારે કેટલાક તબક્કા બનાવ્યા છે. અનામત માત્ર એવા જ સવર્ણોને મળશે જેની વાર્ષિક આવક 8 લા રૂપિયાથી ઓછી હોય.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના ઠીક પહેલા મોદી સરકારે સવર્ણોને અનામત આપવાની જાહેરાત કરીને મોટો દાવો રમ્ય છે. વર્ષ 2019ની પહેલી કેબિનેટ બેઠકમાં મોટો લેતા મોદી સરકાર પછાત સવર્ણો માટે 10 ટકા અનામતની વ્યવસ્થા કરવા જઇ રહી છે. આ માટે સંવિધાનમાં સંશોધનની તૈયારી કરી લેવામાં આવી છે. આવામાં એ જાણવુ જરૂરી છે કે અનામતની દાયરામાં કોન આવશે અને કોન નહીં.