Black to White: સહકારી બેન્કોમાં જમા નહીં થાય PMGKY હેઠળ નાણાં
આ રકમ કોઈપણ બેન્કમાં જમા કરાવી શકાય તેમ હતી. પરંતુ સહકારી બેન્કોને હવે તેમાંથી બાકાત રાખવામાં આવી છે. સહકારી બેન્કો આ ડિપોઝિટ લઈ શકશે નહીં. આ યોજના ૩૧ માર્ચ સુધી ખુલ્લી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ સરકારે સહકારી બેંકોને નવી કર માફી યોજના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના PMGKY અંતર્ગત નાણાં જમા લેવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે આવકવેરા વિભાગ નોટબંધી બાધ સહકારી બેંકોમાં મોટાપાયે કૌભાંડ બહાર આવી રહ્યા છે.
કેન્દ્રએ કાળું નાણું બહાર લાવવા માટે કરચોરોને વધુ એક જીવનદાન આપીને પીએમજીકેવાય યોજના રજૂ કરી હતી જે અંતર્ગત કાળા નાણાંના ૫૦ ટકા રકમ જમા કરાવવા ઉપરાંત ૨૫ ટકા રકમ ચાર વર્ષ માટે વ્યાજ વગર જમા કરાવવાનો વિકલ્પ આપ્યો છે.
સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના-૨૦૧૬નાં જાહેરનામામાં સુધારો કરીને કહ્યું છે કે આ યોજના અંતર્ગત સહકારી બેન્કો સિવાયની કોઈપણ બેન્કિંગ કંપનીમાં બોન્ડ્સ લેજર એકાઉન્ટમાં રકમ જમા કરાવી શકાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -