હવે ઘરમાં રોકડ રકમ રાખવા પર પણ આવશે નિયંત્રણ, જાણો વધારેમાં વધારે કેટલી રકમ રાખી શકાશે?

સરકારે આ મામલામાં ઉદ્યોગના લોકો સાથે વાતીચત પણ શરૂ કરી દીધી છે જોકે ૩ લાખથી વધુની રોકડ લેવડ દેવડનો વિરોધ કેટલો વેપારી જુથોએ કર્યો છે સરકાર નથી ઇચ્છતી કે ૧પ લાખથી વધુની રોકડ રાખવાતા એલાન બાદ તેનો કોઇ વિરોધ ન થાય.
સરકાર એવું નક્કી કરે છે કે જો તમારી પાસેથી ૧પ લાખથી વધુની રોકડ મળી તો તેને કઇ રીતે બેનામી સંપત્તિ માનવી અને કાર્યવાહી પણ કાયદા મુજબ જ કરવી.
રિટેલ વેપારીઓએ કહ્યું છે કે ૧ દિવસનો વેપાર ૧પ લાખથી વધુ ચાલ્યો ગયો તો તે કયાં લઇ જવા ? જો સરકાર ૧પ લાખની લીમીટ નક્કી કરે તો તેણે રિટેલરોની થોડી છૂટ પણ મળી શકે.
નાણામંત્રાલયના જણાવ્યા પ્રમાણે ફાયનાન્સ બિલ પાસ થયા બાદ ૩ લાખથી ઉપરની રોકડ લેવડ દેવડ પર પ્રતિબંધ લાગુ થઇ જશે તે પછી સરકાર નવું પગલુ લેવાશે.
આ મામલામાં સરકારનું કહેવું છે કે જયારે ૩ લાખ રૂપિયાથી વધુની રોકડ લેવડ દેવડ પર પ્રતિબંધ લાગુ થઇ જશે એટલે વધુ રોકડ રાખવાનું કોઇ લોજિક રહી નહિ જાય. તમામ કામ ડિજિટલ પેમેન્ટ દ્વારા થશે.
નવી દિલ્હીઃ કાળા નાણાંને પકડવા માટે સરકારે હવે 'સ્વચ્છ ધન અભિયાન' શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત બજેટમાં 3 લાખ રૂપિયાથી વધારેની રોકડ લેવડ દેવડ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી. હવે સરકાર કાળા નાણાં માટે નિમવામાં આવેલ વિશેષ તપાસ દળની અન્ય ભલામણને અમલમાં લાવવા જઈ રહી છે. સરકાર ટૂંકમાં જ 15 લાખ રૂપિયાથી વધારેની રોકડ લેવડ દેવડ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી શકે છે.