તમામ બચત ખાતાને આધાર સાથે લિંક કરશે સરકાર, જાણો શું થશે ફાયદો
જે ડિવાઇસ આધારને સપોર્ટ કરે અને રિટેઇલ પોઇન્ટ પર બાયોમેટ્રીક સાથે મેચ થાય તો ડિજીટલ ટ્રાન્ઝેકશન થઇ શકશે. જે લોકોને ફોન વગર વ્યવહાર કરવો હોય તેઓએ પોતાના એકાઉન્ટમાં લોગ થવાનુ રહેશે (આધાર બાયોમેટ્રીક લિંક થકી) અને પેમેન્ટ કરવાનુ રહેશે. આનાથી ડિજીટલ ટ્રાન્ઝેકશન સાવ સરળ થઇ જશે અને કોઇ કનેકટીવીટીની પણ જરૂર નહી રહે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે દેશમાં અંદાજે ૧૧ર કરોડ બેંક ખાતાઓ છે જેમાંથી આધાર સાથે માત્ર ૪૦ કરોડ ખાતા લિંક થયા છે. સરકારના આ નિર્ણયથી શું ફાયદો થશે. તે જણાવતા સુત્રો કહે છે કે, જેમની પાસે મોબાઇલ નંબર નથી તેમને પણ આ પગલાથી ફાયદો થશે અને તેઓ ડિજીટલ ટ્રાન્ઝેકશન કરી શકશે.
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે કેશલેઝ ઝુંબેશને પ્રોત્સાહન આપવા માટે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે ડિજીટલ ટ્રાન્ઝેક્શનને લોકો સુધી પહોંચાડવા માટે તમામ બચત ખાતાને આધાર નંબર સાથે લિંક કરવાનો નિર્ણય કર્યો છે.
તમામ બચત ખાતાને આધાર સાથે લિંક કરવાથી જેમની પાસે મોબાઇલ ફોન નથી તેઓને રાહત થશે કારણ કે ૩૦ કરોડ લોકો પાસે મોબાઇલ નથી. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ નિર્ણયને પીએમ મોદીએ મંજુરી આપી દીધી છે અને હવે નાણા મંત્રી અરૂણ જેટલી તથા આઇટી મંત્રી રવિશંકર પ્રસાદ તેના અમલીકરણ માટે તૈયારી કરી રહ્યા છે.
રિઝર્વ બેંક પણ આધાર આધારીત પોઇન્ટ ઓફ સેલ મશીન દેશભરમાં ઉપલબ્ધ કરાવવા જઇ રહી છે. આ પગલાથી ગ્રામીણ લેવલે પણ ડિજીટલ ટ્રાન્જેકશન શકય બનશે.