હવે આધાર વિના નહીં મળે રેશનનું અનાજ, આધારને જોડવા માટે 30 જૂન સુધીની મુદત
72 ટકા રેશનકાર્ડ આધાર સાથે જોડાયા છે. ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ 23 કરોડ રેશનકાર્ડ છે. જેમાં 16.62 કરોડ આધાર સાથે લિન્ક છે.
ખાદ્ય સુરશ્રા કાયદા હેઠળ સબસિડી તરીકે નાણાવર્ષ 2017-18માં 1,45,338.60 કરોડ ખર્ચાશે. વર્ષે 1,35,172.96 કરોડનું બજેટ હતું. 81.34 કરોડ લોકો નવેમ્બર 2016 સુધી ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ કવર હતા. રેશનકાર્ડમાં નોંધાયેલ દરેક વ્યક્તિને મહિને 5 કિલો અનાજ અપાય છે.
મંત્રાલયે કહ્યું છે કે, સેવા કે લાભ કે સબસિડી આપવા માટે ઓળખના દસ્તાવેજ તરીકે આધારનો ઉપયોગ કરવાથી સરકારની ડિલિવરીની પ્રક્રિયા સરળ થશે, પારદર્શિતા આવશે અને અસરકારકતા વધશે. યોગ્ય લાભાર્થીઓને સરળતાપૂર્વક અને સુચારુ રીતે સીધો લાભ મળશે.
મંત્રાલયે કહ્યું છે કે એનએફએસએ ગ્રાન્ટ્સમાં દેશના ૮૦ કરોડથી વધુ લોકોને આવરી લેવાયા છે. જેમાં લોકોને મહિને વ્યક્તિદીઠ બેથી ત્રણ રૂપિયે કિલોએ ઘઉં આપવામાં આવે છે. આ જાહેરનામું આસામ, મેઘાલય અને જમ્મુ અને કાશ્મીર સિવાય તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લાગુ પડશે.
ગ્રાહક બાબતો, અન્ન અને જાહેર વિતરણ મંત્રાલયે કહ્યું હતું કે તેણે આધાર એક્ટ હેઠળ એક જાહેરનામું જારી કર્યું હતું. જેમાં નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (એનએફએસએ) હેઠળ રેશન કાર્ડ્સ ધરાવતા વ્યક્તિગત લાભાર્થીઓને સબસિડી મેળવવા માટે આધાર કાર્ડ રજૂ કરવાનું ફરજિયાત બનાવાયું છે. જોકે, એનએફએસએ હેઠળના લાભાર્થીઓ કે જેમની પાસે આધાર નંબર નથી કે જેમણે હજુ કાર્ડ કઢાવ્યું નથી. તેમને ૩૦ જૂન સુધી અરજીઓ કરવાની રહેશે.
નવી દિલ્હીઃ રાંધણ ગેસ એલપીજી બાદ હવે સરકારે રેશનની દુકાનોમાંથી સબસિડીવાળા સસ્તા અનાજ માટે આધાર ફરજિયાત કરી દીધું છે. તેનો ઉદ્દેશ ખાદ્ય સુરક્ષા કાયદા અંતર્ગત 1.4 લાખ કરોડ રૂપિયાની સબસિડીને યોગ્ય લોકો સુધી પહોંચાડવાનો છે. જેમની પાસે આધાર કાર્ડ નથી તેમને 30 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો છે. 30 જૂન બાદ સબસિડીયુક્ત અનાજ આપવામાં આવશે નહીં.