✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નોટબંધીના નવા આદેશના એક જ દિવસમાં સરકારે ફેરવી તોળ્યું, જાણો શું કહ્યું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Dec 2016 11:39 AM (IST)
1

આરબીઆઈએ કહ્યું હતું કે, 5000 રૂપિયાથી વધારેની રકોડ નો યોર કસ્ટમર સાથે જોડાયેલ ખાતામાં જ જમા કરાવી શકાશે. ડો ખાતાને લઈને નો યોર કસ્ટમર અંતર્ગત જાણકારી ન હોયતો 50 હજાર રૂપિયા સુધી જમા પર બેન લગાવી શકાય છે. પરંતુ આ નિયમ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના પર લાગુ નહીં થાય. આ નોટિફિકેશનની સ્પષ્ટતામાં નાણાં મંત્રાલયે કહ્યું છે કે, બેંકોમાં ભીડ ઓછી કરવા માટે આમ કરવામાં આવ્યું છે. મોટાભાગના લોકોએ જૂની નોટ જમા કરાવી દીધી છે.

2

સરકારના આ નવા નિર્ણયને પ્રધાનમંદ્રી નરેન્દ્ર મોદીના આઠ નવેમ્બરના રોજ કરવામાં આવેલ જાહેરાત પર સવાલ ઉભા કર્યા હતા. મોદીએ નોટબંધીની જાહેરાત કરતા કહ્યું હતું કે, ઉતાવળ કરવાની જરૂર નથી 30 ડિસેમ્બર સુધી રૂપિયા જમા કરાવી શકો છો. નવા નોટિફિકેશન જારી કરતાં આરબીઆઈએ કહ્યું કે, આ સ્પષ્ટતા ઓન રેકોર્ડ રાખવામાં આવશે જેથી બાદમાં ઓડિટ કરી શકાય. સાથે જ કોર બેન્કિંગ સોલ્યુશનને પણ જાણકારી આપવાની રહેશે. નાણાં મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, બેંકોને કહેવામાં આવ્યું છે કે, તે લોકોને પૂછે કે આ પ્રકારની નોટ પહેલા શા માટે જમા કરાવવામાં ન આવી.

3

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 500 અને 1000 રૂપિયાની જૂની નોટો બેંકમા જમા કરાવવાને લઈને 19 ડિસેમ્બરે નવા આદેશ જારી કર્યા હતા. તે અંતર્ગત કહેવામાં આવ્યું હતું કે, 5000 રૂપિયાથી ઉપરની રકમ એક જ વખત જમા કરાવી શકાશે. પરંતુ 5000થી વધારેની રકમ જમા કરાવવા પર બેંકના અધિકારીઓને જણાવવું પડશે કે આ રકમ પહેલા શા માટે જમા ન કરાવી. જવાબ સંતોષકારક મળવા પર જ તે રકમ જમાં કરવામાં આવશે.

4

નવી દિલ્હીઃ નોટબંધીના નિયમોને લઈને સરકાર દરરોજ નિવેદનો બદલી રહી છે. એક દિવસ પહેલા 19 ડિસેમ્બરે 5000 રૂપિયાથી ઉપરની જૂની નોટ એક જ વખત જમા કરવાનો આદેશ જારી કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે, અત્યાર સુધી આ રકમ જમા શા માટે કરાવવામાં ન આવી તે અંગે પણ જાણકારી આપવાની વાત કહેવામાં આવી હતી. પરંતુ આજે (20 ડિસેમ્બર) રકમ જમા શા માટે ન કરાવી તે શરત પરત લેવામાં આવી છે. ટીવી અહેવાલ અનુસાર હવે 5000 રૂપિયાથી વધારેની રકમ જમા કરાવવા પર કોઈ સવાલ કરવામાં નહીં આવે.

  • હોમ
  • India-news
  • દેશ
  • નોટબંધીના નવા આદેશના એક જ દિવસમાં સરકારે ફેરવી તોળ્યું, જાણો શું કહ્યું
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.