✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ખાંડ પર સેસ લગાવવા વિચાર, ડિજિટલ પેમેન્ટ પર મળશે 2 ટકા છૂટ : અરૂણ જેટલી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 May 2018 04:24 PM (IST)
ખાંડ પર સેસ લગાવવા વિચાર, ડિજિટલ પેમેન્ટ પર મળશે 2 ટકા છૂટ : અરૂણ જેટલી
1

નવી દિલ્લી: જીએસટી કાઉન્સીલની બેઠક પુરી થઈ છે. નાણા મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું કે કેશલેશ લેવડદેવડ કરનારને 2 ટકાની છૂટ મળશે. આ છૂટ વધુમાં વધુ 100 રૂપિયા સુધીની હશે. નાણા મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું કે ખાંડ ઉત્પાદકો પર સેસ લગાવવા પર વિચાર કરવામાં આવશે. જેના પર મંત્રીઓનો એક સમૂહ બનાવવા પર સહમતિ બની છે.

2

આ દરમિયાન નાણા મંત્રીએ જણાવ્યું કે જીએસટીના પ્રથમ વર્ષમાં જીએસટી કલેક્શન ખૂબ સારૂ રહ્યું. તેમણે જાણકારી આપી કે પરિષદના તમામ સદસ્યોએ જીએસટીના પ્રથમ વર્ષમાં થયેલા રેવન્યૂ કલેક્શનને લઈને ખૂશી વ્યક્ત કરી છે.

3

પરિષદે સેસ લગાવવા પર વિચાર કરવા માટે મંત્રીઓના સમૂહનું ગઠન કરવાનો નિર્ણય કર્યો છે. જીએસટી પરિષદની આ 27મી બેઠક વીડિયો કૉંફ્રેસિંગના માધ્યમથી થઈ.

4

મોદી સરકાર સતત કેશલેશ લેવડદેવડમાં વધારો કરવા પર પગલા ઉઠાવી રહી છે. જીએસટી પરિષદ તરફથી ડિજિટલ ટ્રાંજેક્શન પર બે ટકાની છૂટ આપવી એ આ પહેલનો એક ભાગ છે.

5

જીએસટી પરિષદની આ 27મી બેઠક થતા પહેલા એ આશા હતી કે ખાંડ પર 2 ટકા સેસ લગાવવામાં આવી શકે છે, પરંતુ હાલ તેના પર કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો.

  • હોમ
  • India-news
  • દેશ
  • ખાંડ પર સેસ લગાવવા વિચાર, ડિજિટલ પેમેન્ટ પર મળશે 2 ટકા છૂટ : અરૂણ જેટલી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.