✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘ગબ્બર સિંહ ટેક્સ’ બાદ હવે સીએમ મમતાએ GSTને ગણાવ્યો ‘ગ્રેટ સેલ્ફિશ ટેક્સ’

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Nov 2017 06:29 PM (IST)
1

કોલકાતા: પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જીએસટીને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધી દ્વારા જીએસટીને ‘ગબ્બર સિંહ ટેક્સ’ ગણાવ્યા બાદ હવે મમતા બેનર્જીએ પણ જીએસટીને ‘ગ્રેટ સેલ્ફિશ ટેક્સ’ નું નામ આપ્યું છે.

2

મમતાએ ટ્વિટ કરી કહ્યું, ‘ગ્રેટ સેલ્ફિશ ટેક્સ લોકોને હેરાન કરવા માટે લગાવ્યો છે, નોકરી ઝૂંટવી લીધી, અર્થવ્યવસ્થાને ખતમ કરવા માટે. જીએસટી સામે સરકાર નિષ્ફળ ગઈ છે. ’

3

મમતાએ ટ્વિટર અકાઉંટ પર પોતાની ડીપીનો રંગ કાળો રાખ્યો છે. તૃણમૂલ કૉંગ્રેસ સુપ્રીમોએ પોતાની પાર્ટીના નેતાઓને નોટબંધીના એક વર્ષ પુરા થવા પર 8 નવેમ્બરને કાળા દિવસ તરીકે ઉજવવા નિર્દેશ આપ્યો છે.

4

મમતાએ કહ્યું કે જીએસટીનો પ્રયોગ લોકોને હેરાન કરવા અને દેશની અર્થવસ્થાનો ખતમ માટે કરવામાં આવ્યો છે. તેમણે નોટબંધીને પણ એક આફત તરીકે વ્યાખાયિત કરી અને ટ્વિટર યૂઝર્સને પણ આગ્રહ કર્યો કે નોટબંધી વિરુદ્ધ પોતાનો વિરોધ લોકો માટે પોતાની ડિસ્પલે પિક્ચરને કાળા રંગથી બદલી નાખો.

  • હોમ
  • India-news
  • દેશ
  • ‘ગબ્બર સિંહ ટેક્સ’ બાદ હવે સીએમ મમતાએ GSTને ગણાવ્યો ‘ગ્રેટ સેલ્ફિશ ટેક્સ’
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.