Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
પદ્માવતી વિવાદ: દિપિકાનું માથુ વાઢવા બદલ 10 કરોડનું ઇનામ જાહેર કરનારા BJP નેતાનું રાજીનામું
સૂરજપાલે રાજીનામામાં લખ્યું કે, “મને લાગે છે કે મુખ્યમંત્રી મનોહરલાલને હવે સમર્પિત તથા નિષ્ઠાવાન કાર્યકર્તા અને પદાધિકારીઓની જરૂર નથી. ભગવાન તેને સદબુદ્ધી પ્રદાન કરે. મને આશા છે કે આ મારા સંદેશને મારું રાજીનામું સમજી અને તેને મંજૂર કરશો. ભાજપમાં સાધારણ કાર્ય તરીકે કામ કરતો રહીંશ.”
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: દીપિકા પાદુકોણ અને સંજય લીલા ભંણસાલીનું માથુ વાઢવા પર 10 કરોડનું ઈનામ જાહેર કરનાર હરિયાણાના ભાજપ નેતા સૂરજપાલ અમ્મૂએ રાજીનામું આપી દીધું છે. રાજીનામું ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુભાષ બરાલાને મોકલી દીધું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સૂરજપાલ અમ્મૂ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરથી નારાજ હતા. ઉલ્લેખનિય છે કે રાજપૂત સમાજના લોકો પદ્માવતી ફિલ્મને લઈને મુખ્યમંત્રી ખટ્ટર પાસે ગયા હતા પણ મુખ્યમંત્રીએ રાજપૂત સમાજના નેતાઓ મળ્યા નહોતા તેથી તેમણે આ વાતને લઈને નારાજગી જતાવી હતી.
સૂરજપાલે કહ્યું કે, ‘મુખ્યમંત્રીના વ્યવહારથી ખૂબજ દુખી છું. મે આજસુધી ભાજપના આવા ઘમંડી મુખ્યમંત્રી નથી જોયા. તેઓ કાર્યકર્તાઓની વાત નથી સાંભળતા. તેઓ ભાજપના લોકતંત્રને ખતમ કરવા માગે છે.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -