ઇન્ડોનેશિયામાં ભૂકંપ બાદ આવ્યા 100થી વધુ આફ્ટરશૉક, 142 લોકોએ જીવ ગુમાવ્યા, સામે આવી તસવીરો

આફ્ટરશોકથી લોંબોક ટાપુના 80 ટકા ઘર અને ઈમારતો ધસી પડી હતી, જેના કારણે 20,000થી વધુ લોકો બેઘર થઈ ગયા છે. 8 દિવસ પહેલાં પણ ઈન્ડોનેશિયામાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારે 15 લોકો મૃત્યુ પામ્યા હતા.
ઈન્ડોનેશિયાની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ સોમવારે કહ્યું કે મોટા ભાગનાલોકો કાટમાળ પડતાં મૃત્યુ પામ્યા હતા. ભૂકંપને કારણે લોકો ઇમારતોથી નીકળીને ભાગવા લાગ્યા હતા. આખીરાત વીજળી ગાયબ રહેતા બચાવકર્મીઓને પણ મુશ્કેલી નડી હતી. મૃતકાંક વધી શકે છે.
રવિવારે આવેલા 6.9ની તીવ્રતાના ભૂકંપ બાદ સોમવાર સવાર સુધી આફ્ટરશૉકના 100થી વધુ આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપથી 142 લોકો મૃત્યુ પામ્યા અને 200થી વધુ ઘવાયા હોવાનો આંકડો સામે આવ્યો છે.
લોંબોક ટાપુમાં ભૂકંપથી દિવ્યાંગ બાળકોના ચાર ચિલ્ડ્રન હોમ ધસી પડ્યાં હતાં. જેના લીધે 80 બાળકો માર્ગો પર આવી ગયાં છે. 1200 વિદેશી પર્યટકો પણ ફસાયા હતા. બચાવવામાં જવાનો, જહાજની મદદ લેવાઈ છે.
જકાર્તાઃ ઇન્ડોનેશિયામાં આવેલા ભયાનક ભૂકંપથી લગભગ 142 લોકોએ જીવ ગુમાવી દીધા છે, અને ઓછામાં ઓછામાં 20 હજાર લોકો બેઘર થઇ ગયા છે. રવિવારે ઇન્ડોનેશિયાના લોંબોક ટાપુ પર 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં આ જાન-માલની ખુવારી થઇ હતી.