હિમાચલ પ્રદેશમાં સ્કૂલ બસ ખીણમાં ખાબકી, 27 બાળકો સહિત 30ના મોત

જાણકારી અનુસાર, પ્રાઈવેટ સ્કૂલની આ બસ બાળકોને ઘરે છોડવા માટે જઈ રહી હતી એ દરમિયાન નૂરપુર-મલકવાલ પાસે પલટી જતા આશરે દોઢ સો ફૂટ ઉંડી ખાઈમાં ખાબકી હતી. બલજીત રામ પઠાનિયા સ્કૂલની આ બસ મલકવાલથી ઠેહડ પાસે દુર્ઘટનાનો શિકાર બની હતી. ઘાયલ બાળકોને સિવિલ હોસ્પિટલ નૂરપુર અને પ્રાઈવેટ હોસ્પિટલ પઠાણકોણ મોકલવામાં આવ્યા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં 35 બાળકો સવાર હતા. મૃત્યું પામેલા બાળકો નર્સરીથી લઈને પાંચમા ધોરણ સુધીના છે. તમામ બાળકો 10 વર્ષથી ઓછી ઉંમરન છે. તમામ ઘાયલ લોકોને પ્રાઈવેટ હોસ્પિટલ પઠાણકોટ મોકલવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવી છે.
કાંગરા: હિમાચલ પ્રદેશમાં ફરી એક વખત મોટી સડક દુર્ઘટના બની છે. એક સ્કૂલ બસ ઉંડી ખાઈમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 27 સ્કૂલના બાળકો સહિત 30 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. આ ઘટના કાંગડા જિલ્લાની છે. મૃતકોમા બે શિક્ષકો અને ડ્રાઈવર પણ સામેલ છે.