✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

2019થી B.Ed અભ્યાસક્રમ 4 વર્ષ થવાની સંભાવના, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Sep 2018 08:03 AM (IST)
1

સૂત્રોના જણાવ્યા અનુસાર 4 વર્ષના બી.એડ કોર્સની શરૂઆત 2019થી શરૂ થાય તેવી શક્યતા છે. આ માટે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ એજ્યુકેશન(એનસીટીઈ)ની તરફથી માનવ સંસાધન વિકાસ મંત્રાલયને બી.એડ કોર્સમાં ફેરફાર કરવા માટે પ્રસ્તાવ મોકલાયો છે. જો 4 વર્ષનો અભ્યાસક્રમ લાગૂ થશે તો ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓને તેને ફાયદો મળશે, 12 પાસ બીએડનો અભ્યાસ કરી શકશે. હાલ બે વર્ષના બીએડ અભ્યાસક્રમમાં ગ્રેજ્યૂએટ વિદ્યાર્થીઓને જ એડમિશન મળી શકે છે.

2

માનવ સંસાધન વિકાસ મંત્રાલયે કહ્યું કે, વર્તમાનમાં ચાલી રહેલા 2 વર્ષના અભ્યાસક્રમને 4 વર્ષમાં ફેરવવાની તૈયારી ચાલી રહી છે. આ નિર્ણય શૈક્ષણિક સ્તર સુધારવા માટે લેવામાં આવી રહ્યો છે. આ નિર્ણય પાછળનો ઉદ્દેશ્ય છે કે ભવિષ્યમાં સ્કૂલના ટીચર્સ બ્લૂ વ્હેલ ચેલેન્જ, મનોવૈજ્ઞાનિક સાયબર ગેમ્સ અને અન્ય કોઈ પણ પ્રકારની ધમકી આપતી ગેમ્સની સમસ્યાથી વિદ્યાર્થીઓે મુક્ત કરાવવા માટે તૈયાર રહે.

3

નવી દિલ્હી: બેચલર ઓફ એજ્યુકેશન એટલે B.ed અભ્યાસક્રમમાં ફરી એક વખત ફેરફાર કરવામાં આવી રહ્યો છે. બીએડ અભ્યાસક્રમ પહેલાં 1 વર્ષનો હતો ત્યારબાદ આ અભ્યાસક્રમને 2 વર્ષ કરવામાં આવ્યો હતો. હવે બી.એડ. કોર્સની મુદત 4 વર્ષની કરવામાં આવશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • 2019થી B.Ed અભ્યાસક્રમ 4 વર્ષ થવાની સંભાવના, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.