✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

BJP સત્તામાં આવશે તો હૈદરાબાદ અને કરીમનગરનું નામ બદલવામાં આવશે: CM યોગી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Dec 2018 09:05 PM (IST)
1

ઉલ્લેખનીય છે કે, યોગી સરકાર ઉત્તરપ્રદેશમાં કેટલાક સ્થળોના નામ બદલી ચુકી છે. જેમાં ઇલાહાબાદનું પ્રયાગરાજ, ફૈજાબાદનું અયોધ્યા અને મુગલસરાયનું પંડિત દીનદયાલ ઉપાધ્યાય જંક્શન કરી દીધું છે.

2

આ સિવાય યોગી આદિત્યનાથે અહીં લોકોને ભાજપને મત આપવાની અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે ભાજપ નેતા ટી રાજા સિંહ લોધ અગાઉ અનેક વખત જાહેરમાં કહી ચુક્યા છે કે ભાજપ સત્તામાં આવશે તો હૈદરાબાદ અને રાજ્યના અન્ય શહેરોના નામ મહાન લોકોના નામ પરથી રાખવામાં આવશે.

3

સીએમ યોગીએ કહ્યું કે, નામ બદલવાનું કામ માત્ર ભાજપ જ કરી શકે છે કારણ કે આ પાર્ટી જ તમારી સંસ્કૃતિ, પરંપરાઓ, વિરાસત અને તમારા પૂર્વજોનું સન્માન કરે છે. અને ભારતની વ્યવસ્થાને આગળ લઈ જવા માંગે છે.

4

હૈદરાબાદ: ઉત્તરપ્રેદશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે ચૂંટણી રેલીને સંબધોન કરતા કહ્યું કે, તેલંગણામાં ભાજપની સરકાર બનશે તો હૈદરાબાદનું નામ ‘ભાગ્યનગર’ અને કરીમનગર જિલ્લાનું નામ ‘કરીપુરમ’ કરશે. અહીં યોગીએ કરીમનગર જિલ્લામાં અને નિઝામાબાદ જિલ્લાના બોધનગરમાં ચૂંટણી રેલીને સંબોધી હતી, તેઓએ કહ્યું કે ભાજપ તેલંગણામાં સત્તામાં આવશે તો પાર્ટી તમારી ભાવનાઓનું સન્માન કરીને કરીમનગરનું નામ બદલીને કરીપુરમ કરશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • BJP સત્તામાં આવશે તો હૈદરાબાદ અને કરીમનગરનું નામ બદલવામાં આવશે: CM યોગી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.