✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મને નથી લાગતું કે PMને કોઈ ગંભીરતાથી લેતું હશે, તેમના ભાષણો માત્ર BJPના જ વડાપ્રધાન હોય તેવા હોય છે: ચિદમ્બરમ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 May 2018 05:13 PM (IST)
1

ઉલ્લેખનીય છે કે મંગળવારે કર્નાટક ચૂંટણી માટે રાજ્યમાં પીએમ મોદી અને સોનિયા ગાંધી બન્નેની રેલિયો થઈ હતી. એક રેલી દરમિયાન પીએમ મોદીએ કૉંગ્રેસના રાજ્યમાં કુશાસન પર નિશાન સાધ્યું હતું. બાદમાં સોનિયા ગાંધીએ પોતાની રેલીમાં રાજ્યની સમસ્યાઓનું જવાબદાર કેન્દ્રની ભાજપ સરકારને ગણાવી હતી.

2

નવી દિલ્હી: કર્ણાટક ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે કૉંગ્રેસ અને ભાજપ ચૂંટણી પ્રચારમાં એકબીજા પર આરોપ પ્રતિઆરોપ લગાવી રહ્યા છે. હવે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતા કહ્યું કે પીએમ મિની સ્લોગન બનાવવાની ફેક્ટરી બની ગયા છે. તેમણે કહ્યું કે મને નથી લાગતું કે કોઈ પણ પ્રધાનમંત્રીને ગંભીરતાથી લેતું હશે.

3

ચિદમ્બરમ અનુસાર નરેન્દ્ર મોદી હવે દેશના પ્રધાનમંત્રી છે તે કોઈ એક પાર્ટીના નથી તેના ભાષણોથી એવું લાગે છે કે તે માત્ર ભાજપના જ વડાપ્રધાન છે, દેશના નહીં.

4

સમાચાર એજન્સી પ્રમાણે ચિદમ્બરમે કહ્યું કે નરેન્દ્ર મોદી એક પ્રધાનમત્રી તરીકે નહીં પણ એક પ્રચારક તરીકે ભાષણ આપે છે. હું નથી ઈચ્છતો કે વડાપ્રધાન એક ચોથી કક્ષાના ભાજપના પ્રવક્તા તરીકે વાતચીત કરે. દુર્ભાગ્યપૂર્ણ છે કે પીએમના મોટા ભાગના ભાષણો એક પાર્ટી પ્રચારકની મુદ્રાવાળા હોય છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • મને નથી લાગતું કે PMને કોઈ ગંભીરતાથી લેતું હશે, તેમના ભાષણો માત્ર BJPના જ વડાપ્રધાન હોય તેવા હોય છે: ચિદમ્બરમ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.