મહાભિયોગ પર મહાભારતઃ ઉપરાષ્ટ્રપતિએ ફગાવ્યો CJI વિરુદ્ધનો પ્રસ્તાવ, કોર્ટમાં જઇ શકે છે કોંગ્રેસ
રવિવારે તેમને લોકસભાના પૂર્વ મહાસચિવ સુભાષ કશ્યપ, પૂર્વ વિધિ સચિવ પી કે મલ્હોત્રા, પૂર્વ વિધાયી સચિવ સંજય સિંહ અને રાજ્યસભા સચિવાલયના અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કર્યો. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ સુદર્શન રેડ્ડી સાથે પણ મુલાકાત થઇ શકે છે. નાયડુ આંધ્રપ્રદેશની પોતાની યાત્ર વચ્ચેથી જ પુરી કરીને બપોરે દિલ્હી માટે રવાના થઇ ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, શુક્રવારે કોંગ્રેસ સહિત સાત વિપક્ષી દળોએ રાજ્યસભાના સભાપતિ નાયડુને જસ્ટિસ મિશ્રા વિરુદ્ધ કદાચારનો આરોપ લગાવતા તેમને પદ પરથી હટાવવીની પ્રક્રિયા શરૂ કરવા માટે નોટિસ આપી હતી. નાયડુ જો આ નોટિસને સ્વીકાર કરે છે તો પ્રક્રિયાના નિયમો અનુસાર, વિપક્ષના આરોપોની તપાસ માટે ન્યાયવિદોની ત્રણ સભ્યોની એક સમિતિ રચના કરવી પડશે.
સુત્રો અનુસાર, આ પહેલા રવિવારે રાજ્યસભાના ચેરમેને વેંકૈયા નાયડુએ મહાભિયોગની નોટિસ પર વિચાર વિમર્શ શરૂ કર્યો છે.
CJI ચીફ જસ્ટિસ દીપક મિશ્રા વિરુદ્ધના પ્રસ્તાવને ફગાવવાને લઇને હવે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં જઇ શકે છે. અગાઉ કોંગ્રેસ કહ્યું હતું કે, જો રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડુએ મહાભિયોગની નોટિસને ના મૂંજર કરી તો નિર્ણયને કોર્ટમાં પડકારી શકાય છે. આવામાં કોંગ્રેસે તેમના નિર્ણયના વિરુદ્ધ કોર્ટમાં જવાનો પણ ઓપ્શન ખુલ્લો રાખ્યો છે.
નવી દિલ્હીઃ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા CJI વિરુદ્ધના મહાભિયોગ પ્રસ્તાવ વિવાદને આખરે ઉપરાષ્ટ્રપતિ ફગાવી દીધો છે. વેંકૈયા નાયડુએ મહાભિયોગની નોટિસ પર વિચાર વિમર્શ શરૂ કરીને છેવટે વિપક્ષ દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાને ફગાવી દીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -