ચૂંટણી રેલીમાં મોદીએ કેમ કર્યો રાહુલ દ્રવિડનો ઉલ્લેખ? જાણો વિગત
નવી દિલ્લી: ભાજપની પરિવર્તન રેલીના સમાપન સમયે કર્ણાટક પહોંચેલા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ અંડર 19 વર્લ્ડ કપમાં ભારતની જીતના વધુ એક વખત વખાણ કર્યા હતા. આ સાથે જ તેમણે તેના માટે કોચ રાહુલ દ્રવિડને શ્રેય આપ્યો હતો.
રાહુલ દ્રવિડ કર્ણાટકથી છે અને અંડર 19 વર્લ્ડ કપમાં ભારતની જીત માટે રાહુલ દ્રવિડની કોચિંગના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે. મોદીએ પણ રાહુલ દ્રવિડના વખાણ કરતા કહ્યુ ભારતની જીત માટે દ્રવિડનું મુખ્ય યોગદાન છે, તેનો ઈનકાર ન કરી શકાય.
પ્રધાનમંત્રી મોદીએ રેલીના સમાપન સમયે પોતાના સંબોધનમાં અંડર 19 વર્લ્ડ કપનો ઉલ્લેખ કરતા કહ્યું, શનિવારે ભારતની અંડર 19 ટીમે વિશ્વકપ જીત્યો. આ જીત પાછળ ટીમના કોચ રાહુલ દ્રવિડનું મુખ્ય યોગદાન રહ્યું છે અને તેનો ઈનકાર ન કરી શકાય. આ દરમિયાન પીએમ મોદીએ દ્રવિડના વખાણ કરતા કહ્યું, તે આપણને ઈમાનદારીથી કામ કરવાનું અને બીજાના માટે જીવવાની શીખ આપે છે.
ઉલ્લેખીય છે કે અંડર 19 વર્લ્ડ કપમાં શનિવારે ટીમ ઈન્ડિયાની શાનદાર જીત સાથે કોચ દ્રવિડના વિશ્વભરમાં વખાણ થઈ રહ્યા છે. આ જીત સાથે ભારતે અંડર 19 વર્લ્ડ કપ પર ચોથી વખત કબ્જો કર્યો જે એક રેર્કોડ છે. શનિવારે જીત બાદ પીએમ મોદીએ ટ્વીટ કરી ટીમના વખાણ કર્યા હતા અને જીત માટે શુભેચ્છા પાઠવી હતી.