ભારત-ચીનની ડોકલામ પરથી સેના હટાવવાની પ્રક્રિયા શરૂ
નવી દિલ્લી: ડોકલામ પર છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલા વિવાદ બાદ ભારતીય સેનાએ સોમવારે ડોકલામના સરહદ વિસ્તારમાંથી સેનાને હટાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ચીન પણ તેમના સૈનિકોને ત્યાંથી હટાવી રહ્યું છે. સૈન્ય સૂત્રોએ આ જાણકારી આપી કે, ચીન અને ભારત વચ્ચે ડોકલામમાં લગભગ ત્રણ મહીના સુધી ચાલી રહેલા તણાવ બાદ જવાનોને હટાવવા સહમત થયા છે. ભારત સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે, બન્ને બાજુથી સેનાઓને હટાવવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિદેશ મંત્રાલયે જારી કરેલા નિવેદનમાં કહ્યું કે, કેટલાક અઠવાડિયામાં ભારત અને ચીન ડોકલામ પર થયેલી ઘટના બાદ પણ બન્ને દેશોએ આ મુદ્દા પર રાજનીતિક સંપર્ક બનાવી રાખ્યો જેના કારણે આપણે આપણા વિચારોને વ્યક્ત કરી શક્યા અને આપણી ચિંતાઓ અને હિતોને જણાવી શક્યા, નિવેદન પ્રમાણે આ આધાર પર ડોકલામ પરથી સેનાઓ હટાવવાની સહમતી બની છે. જે ચાલુ છે.
ડોકલામ, સિક્કિમ સેક્ટરમાં ભારત-ભૂટાન-ચીન તિરાહા પર ભારતીય સૈનિકોએ ચીનને રસ્તાનું નિર્માણ કરતા રોક્યું હતું. જેના બાદ બન્ને દેશ વચ્ચે તણાવ ઉભો થયો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદનમાં કહ્યું કે, બન્ને દેશ ડોકલામ પર તેમની સેના હટાવવા સહમત થયા છે.
ડોકલામ પરથી ભારતીય સૈનિકોને સોમવારે બપોર બાદ ખસેડવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ડોકલામ સરહદ પર ભારતના લગભગ 400 જેટલા જવાનો તૈનાત છે. ભારતે ડોકલામ પરથી ત્યાં સુધી જવાનોને હટાવવાનો ઈનકાર કર્યો જ્યાં સુધી ચીન પણ તેના સૈનિકોને હટાવવાનું શરૂ નહીં કરે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -