આર્મી પદેથી નિવૃત થયેલા જનરલ દલબીર સિંહને મળશે આ હોદ્દો, જાણો

મ્યાનમાર અને પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક સહિતના ઓપરેશન્સ અને કશ્મીરમાં સૈન્ય કાર્યવાહીના કારણે જનરલ સુહાગ પીએમ મોદીની ગુડ બૂકમાં હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે પોતાના નિવૃતિ ભાષણમાં પણ જનરલ સુહાગે પોતાના કામ કરવાની સ્વતંત્રતા આપવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
જનરલ સુહાગ સૈન્ય પ્રમુખ તરીકે ગત નવેમ્બરમાં જ નેપાળની મુલાકાતે ગયા હતા. અહીં તેમણે નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં બેનેએ રણનીતિ અને સંરક્ષણ સંબંધી મુદ્દે વાતચીત કરી હતી. આ મુલાકાત અંગે એવું કહેવાયું હતું કે સુહાગ અને પ્રચંડ વચ્ચે ખૂબ જ આત્મીયતા સધાઈ હતી.
નેપાળ ખાતેના ભારતીય રાજદૂત રંજીત રાય નજીકના ભવિષ્યમાં નિવૃત થનાર છે. તેમની જગ્યાએ સરકાર કોઈ એવા વ્યક્તિની શોધમાં છે જે નેપાળમાં વધતા જતી ચીનના પ્રભાવને ઓછો કરવામાં સફળ થાય. નોંધનીય છે કે નેપાળ અને ચીન ફેબ્રુઆરીમાં પહેલીવાર એકસાથે સૈન્યાભ્યાસ કરનાર છે. જે બાબતેને ભારતના સંરક્ષણ અને વિદેશનીતિમાં ચિંતાની દ્રષ્ટિએ જોવામાં આવે છે.
નવી દિલ્હી: દેશની આર્મીના પ્રમુખ પદેથી તાજેતરમાં નિવૃત થયેલા જનરલ દલબીર સિંહ સુહાગ હવે રાજદ્વારી ભૂમિકા નિભાવી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેમને નેપાળ ખાતે રાજદૂત તરીકે નીમવામાં આવી શકે છે.