✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બેરોજગારો માટે રાહતના સમાચાર, રેલવેમાં ક્યા ક્યા પદો માટે થશે ભરતી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Feb 2018 05:41 PM (IST)
બેરોજગારો માટે રાહતના સમાચાર, રેલવેમાં ક્યા ક્યા પદો માટે થશે ભરતી
1

સાતમા પગારપંચ અનુસાર, સેકન્ડ લેવલ કર્મચારીઓનો પે સ્કેલ 19,900-63,200 રૂપિયા હશે. જ્યારે ગ્રુપ સી ફર્સ્ટ લેવલના કર્મચારીઓ માટે પે સ્કેલ 18,000- 56,900 રૂપિયા હશે. એપ્રિલ અને મે 2018 સુધીમાં એક્ઝામ યોજાઇ શકે છે.

2

ઉલ્લેખનીય છે કે ગ્રુપ સી સેકન્ડ લેવલ માટે ટેકનિશિયન જેવા કે ફિટર, ક્રેન ડ્રાઇવર, બ્લેકસ્મિથ જેવી નોકરીઓ સામેલ છે. જ્યારે ગ્રુપ સી ફર્સ્ટ લેવલ માટે ટ્રેક મેન્ટેનર, પ્વાઇટ મેન, હેલ્પર અને ગેટમેન જેવી પદો પર નિમણૂક કરાશે. ગ્રુપ સી સેકન્ડ લેવલ માટે 18થી 28 વર્ષની ઉંમર સુધી અરજી કરી શકાશે જ્યારે ગ્રુપ સી ફર્સ્ટ લેવલ માટે 18થી 31 વર્ષના લોકો અરજી કરી શકશે.

3

મંત્રાલયે કહ્યું કે, રેલ મંત્રાલયે ગ્રુપ સી ફર્સ્ટ લેવલ અને સેકન્ડ લેવલ માટે 89,409 પદો પર અરજીઓ મંગાવવામાં આવ્યા છે. આ વિશ્વની સૌથી મોટી નિમણૂક પ્રક્રિયામાંની એક છે. અરજીઓ રેલવે નિમણૂક બોર્ડની વેબસાઇટ મારફતે મંગાવવામાં આવી છે. ફર્સ્ટ લેવલ માટે અરજીઓની અંતિમ તારીખ 5 માર્ચ અને સેકન્ડ લેવલ માટેની અંતિમ તારીખ 12 માર્ચ છે.

4

નવી દિલ્હીઃ દેશમાં વધી રહેલા બેરોજગારો માટે સારા સમાચાર છે. રેલવેએ બેરોજગાર લોકો માટે રાહતના સમાચાર આપ્યા છે. રેલવે લોકો પાયલટ અને ટેકનિશિયન સહિતની આશરે 90 હજાર પદો પર અરજીઓ મંગાવવામાં આવી છે. રેલ મંત્રાલયના કહેવા પ્રમાણે, આ પદો પર ન્યૂનતમ શૈક્ષણિક યોગ્યતા 10 અને આઇટીઆઇ કરેલું હોવુ ફરજિયાત છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • બેરોજગારો માટે રાહતના સમાચાર, રેલવેમાં ક્યા ક્યા પદો માટે થશે ભરતી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.