અફઘાનિસ્તાનથી બર્મા સુધી, તિબેટથી શ્રીલંકા સુધી બધાનો DNA એકઃ ભાગવત
તેમને કહ્યું કે, હજારો વર્ષો પહેલાથી અફઘાનિસ્તાનથી બર્મા સુધી અને તિબેટથી શ્રીલંકા ના દક્ષિણ સુધી જેટલો જનસમૂહ રહે છે. તે બધા લોકોનો ડીએનએ એ બતાવી રહ્યો છે કે તેમના વંશજ એકસરખા છે. આ આપણને જોડનારી વાત છે. આજે આપણે એકબીજાને ભૂલી ગયા છીએ, સંબંધો ભૂલી ગયા છીએ. એકબીજા સાથે ઝઘડા પણ કરી રહ્યાં છીએ પણ હકીકત એ છે કે આપણે એક જ ઘરના લોકો છીએ. આપણે સમાન પૂર્વજના વંશજ છીએ.
ભાગવતે કહ્યું કે દુનિયામાં વિશ્વ બંધુત્વની વાત કરનારા અને તેને નિશાન બનાવનારા બીજો કોઇ દેશ નથી, માત્ર ભારત જ એક એવો દેશ છે. RSS પ્રમુખે કહ્યું કે આપણે ભારતના છીએ. આપણે આ સંસ્કૃતિને માનનારા છીએ. એવા પૂર્વજોના વંશજો છીએ જેમને દુનિયાને વિજ્ઞાન આપ્યું છે. તે પણ દેશ-વિદેશ ગયા પણ કોઇને જીતવા માટે નહીં. આખી દુનિયા પર ઉપકાર કરવા માટે. આપણે ફરીથી આપણા દેશનો બનાવવાનો છે.
રાયપુરઃ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, ભારતમાં રહેનારા બધા વ્યક્તિઓનું ડીએનએ એક છે. ભાગવતે રાયપુરના સાયન્સ કૉલેજ મેદાનમાં સભાને સંબોધિત કરતાં કહ્યું કે ભારત ભારતને જોડનારા ભારતના પૂર્વજ છે. બધાને અલગ અલગ બતાવવામાં આવે છે પણ બધાના પૂર્વજ એક જ હતાં, આવું વિજ્ઞાન કહે છે.
તેમને કહ્યું કે આ ગૌરક્ષા કેમ, ગ્રામ વિકાસ કેમ, જૈવિક ખેતીનો આગ્રહ કેમ કરી રહ્યાં છીએ. કેમ આપણે ઇચ્છીએ છીએ કે તરછોડાયેલા ફરીથી પાછા ઘરે આવી જાય. સમાજમા વિવિધતાને લઇને ભેદભાવ, મતભેદ, વિષમતા ના હોય.