મોદી સરકાર માટે ગૂડ ન્યૂઝઃ UNએ ભારતીય અર્થવ્યવસ્થાને વિકાસ માટે પૉઝિટીવ ગણાવી

‘વર્લ્ડ ઇકોનૉમિક સિચ્યૂએશન એન્ડ પ્રૉસ્પેક્ટ 2018’ રિપોર્ટ રજૂ કરતાં સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક બાબતોના વિભાગ (યુએન ડીઇએસએ)એ કહ્યું કે, કુલ મળીને દક્ષિણ એશિયા માટે આર્થિક પરિદ્રશ્ય બહુજ અનુકુળ દેખાઇ રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ખાનગી વપરાશ અને ઉદાર આર્થિક નીતિઓથી મજબૂતી મળવાન કારણે દક્ષિણ એશિયામાં આર્થિક પરિદ્રશ્ય હવે બહુજ સ્થિર અને અનુકુળ છે.
નોંધનીય છે કે, યુએને દુનિયાની અર્થવ્યવસ્થા પર રિપોર્ટ રજૂ કર્યો છે અને આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જબરદસ્ત ખાનગી વપરાશ, વૈશ્વિક રોકાણ અને સંરચનાત્મક સુધારાન કારણે વર્ષ 2018માં ભારતનો વિકાસ દર વર્તમાનના 6.7 ટકાથી વધીને 7.2 ટકા થઇ જશે અને આ વિકાસ દર વર્ષ 2019માં 7.4 ટકા સુધી પહોંચશે. વળી, વર્ષ 2018માં હિન્દુસ્તાનની રાજકોષીય ખાદ્ય 3.2 સુધી સિમીત રહેવાનું અનુમાન સંયુક્ત રાષ્ટ્રે કર્યું છે.
નવી દિલ્હીઃ ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન પહેલા મોદી સરકાર માટે એક રાહત આપનારા સમાચાર આવ્યા છે. નોટબંધી અને જીએસટી બાદ વિકાસ દરને વિપક્ષે મુદ્દો બનાવ્યો હતો, પણ હવે સંયુક્ત રાષ્ટ્રે ભારતીય અર્થવ્યવસ્થાને વિકાસ માટે હકારાત્મક ગણાવી છે. યુએેને વર્ષ 2018માં ભારતાના વિકાસ દર 7.2 અને 2019માં 7.4 ટકા રહેવાનુ્ં અનુમાન કર્યુ હતું.