✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઓપિનિયન પોલઃ મધ્યપ્રદેશમાં કોને મળી શકે છે બહુમતી? કોણ છે મુખ્યમંત્રી તરીકે લોકોની પસંદ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Nov 2018 12:41 PM (IST)
1

2

મુખ્યમંત્રી તરીકે શિવરાજસિંહ ચૌહાણનું પ્રદર્શન કેવું રહ્યું જેના પર 30.42 ટકા લોકોએ ખૂબ સારુ, 10.8 ટકા લોકોએ સારુ, 22.30 ટકા લોકોએ ખરાબ, 14.34 ટકા લોકોએ ખૂબ ખરાબ, 16.14 ટકા લોકોએ સરેરાશ અને 6 ટકા લોકોએ કાંઇ કહી નથી શકતા જવાબ આપ્યો હતો. લોકોને જ્યારે પૂછવામા આવ્યું કે આ ચૂંટણીમાં તમારા મતે સૌથી મોટો મુદ્દો ક્યો છે જેના પર 29.11 ટકા લોકોએ બેરોજગારીને મોટો મુદ્દો ગણાવ્યો હતો. 27.42 ટકા લોકોએ વિકાસ, 11.91 ટકા લોકોએ ભ્રષ્ટાચારને મોટો મુદ્દો ગણાવ્યો હતો. 10.45 ટકા લોકોએ પેટ્રોલ-ડિઝલની વધતી કિંમતો અને ફક્ત 1.3 ટકા લોકોએ રાફેલ ડીલને મહત્વનો મુદ્દો ગણાવ્યો હતો.

3

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટી આગામી મહિને યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમત હાંસલ કરી શકે છે. ઇન્ડિયા ટીવી અને સીએનએક્સ દ્ધારા હાથ ધરાયેલા ઓપિનિયમ પોલમાં આ અનુમાન લગાવવામાં આવ્યું છે. 230 બેઠકો ધરાવતા મધ્યપ્રદેશ વિધાનસભામાં ભાજપ 128 કરતા વધુ બેઠકો જીતી શકે છે. જ્યારે કોગ્રેસ 85-95 બેઠકો જીતી શકે છે. બહુજન સમાજ પાર્ટી આઠ, અન્યના ખાતામાં 9 બેઠકો જઇ શકે છે. નોંધનીય છે કે 2013ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ 165, કોગ્રેસે 58, બીએસપીએ 4 અને અન્યએ ત્રણ બેઠકો જીતી હતી. નોંધનીય છે કે મધ્યપ્રદેશમાં 28 નવેમ્બરના રોજ મતદાન યોજાશે અને 11 ડિસેમ્બરના રોજ ચૂંટણી પરિણામો જાહેર કરાશે.

4

આ સર્વેમાં 40.35 ટકા લોકોએ કહ્યું કે, તેઓ શિવરાજસિંહ ચૌહાણને મુખ્યમંત્રી તરીકે ઇચ્છે છે જ્યારે 22.19 ટકા લોકોએ કોગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને 18.08 ટકા લોકોએ કોગ્રેસ નેતા કમલનાથને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા હતા. જો કોગ્રેસ સત્તામાં આવે છે તો કોને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે તેવા સવાલના જવાબમાં 42.62 ટકા લોકોએ જ્યોતિરાદિત્ય સિંધિયાને પસંદ કર્યા હતા જ્યારે 35.91 ટકા લોકોએ કમલનાથને પસંદ કર્યા છે. પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ ત્રીજા સ્થાન પર રહ્યા તેમને ફક્ત 10.05 ટકા લોકોએ મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા હતા.

5

ઇન્ડિયા ટીવી-સીએનએક્સ ચૂંટણી અગાઉ સર્વેક્ષણમાં 16 થી 60 વર્ષના 9240 પુરુષો અને મહિલાઓને સવાલ પૂછવામાં આવ્યા હતા. સર્વેની ટીમે તમામ 230 વિધાનસભા વિસ્તારનો પ્રવાસ કર્યો હતો. સર્વે અનુસાર, ચંબલ વિસ્તારની 34 બેઠકોમાંથી ભાજપ 15, કોગ્રેસ 12, બીએસપી 4, અન્ય ત્રણ બેઠકો જીતી શકે છે.

6

મતની ટકાવારની વાત કરવામાં આવે તો ભાજપને 42.5 ટકા મત મળી શકે છે જ્યારે કોગ્રેસ 37.19 ટકા, બીએસપીને 7.7 ટકા અને અન્યને 12.61 ટકા મત મળી શકે છે. ઉલ્લેખનીય છે કે 2013ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 44.88 મત, કોગ્રેસને 36.38 ટકા મત મળ્યા હતા. આ સર્વે અનુસાર, આ વખતની ચૂંટણીમાં બીજેપીના મતમાં 2.38 ટકાનું ગાબડૂ પડી શકે છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • ઓપિનિયન પોલઃ મધ્યપ્રદેશમાં કોને મળી શકે છે બહુમતી? કોણ છે મુખ્યમંત્રી તરીકે લોકોની પસંદ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.